________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩૯ ]
જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ કમળની શેશભા મલિન થતી જાય છે—ઝાંખો પડતી જાય છે, તેવી જ રીતે દુર્વ્ય સનાથી સ ંપત્તિ અને કીર્તિ બન્ને નાશ પામે છે. તે માટે દુર્વ્યસના સર્વથા તજવા અને સદાચરણવડે જન્મ સફળ કરવેદ કે જેથી પરિણામે મુક્તિવને વરી શકાય.
આ કુબ્સસના મુખ્ય સાત પ્રકારના છે. તે સાતેને માટે પૃથક્ પૃથક્ હાનિ બતાવે છે.
૧ પ્રથમ દુર્વ્યસન જુગટુ રમવુ' તે છે. જે રમવામાં ધન વિના બીજા કોઈની ગણના નથી, દેવગુરુ પણ હિસાબમાં નથી અને જે વ્યસનથી ભવ-ભવમાં ઊવટે-ઉન્માર્ગે દુર્ગતિમાં ભમવુ પડે છે તેવુ જુગટુ કાણુ સજ્જન રમે ?
૨ બીજું દુર્વ્ય સન માંસભક્ષણ કરવું તે છે. જે મનુષ્ય માંસભક્ષણ કરે છે તે મનુષ્ય નથી, પણ મનુષ્યરૂપે રાક્ષસ જ છે.
૩ ત્રીજું દુર્વ્યસન ચારી કરવી તે છે. ચારી આ લેાકમાં નર્કવાસ જેવી છે. એવી ચારી ઉત્તમ પુરુષ કદી કરે નહિં.
૪ ચાથું દુર્વ્યસન મદ્યપાન કરવું તે છે. મદિરા પીવાથી ચિત્ત ભ્રાંતિવાળું–ભ્રમિત થાય છે, લાજ નાશ પામે છે, ગંભીરતા અને સદાચાર પણ નષ્ટ થાય છે. જ્ઞાન-વિજ્ઞાન જો કંઈ મેળવેલુ હાય તેા તે પણ મુ ંઝાઇ જાય છે-સૂઝતુ નથી, એમ જાણીને પેાતે મદ્ય પીવું નહીં અને બીજાને પીવા દેવું નહીં-પાવું નહીં.
૫ પાંચમું દુર્વ્યસન વેશ્યાગમન કરવુ તે છે. ઉત્તમ પુરુષા કદી પણ વેશ્યાગમન કરતાં નથી. વેશ્યાગમનથી લાજની અને દ્રવ્યની બન્નેની હાનિ થાય છે. જીઆ સિ’ગુફાવાસી મુનિ જે મહાતપસ્વી હતા અને જેના પ્રભાવથી વિકરાળ સિંહ પણ