________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩૩ ] ઉપાય ન જ ચાલે ત્યારે જ તેની ઉપેક્ષા કરવી. ગમે તેવા અપરાધીનું પણ અંતરથી અહિત કરવાની બુદ્ધિ તે દયાળુ દિલને નહિ જ જોઈએ. જે જે દુર્ગુણને લઈને અનેક જીવે અપરાધી ઠરે છે તે દુર્ગણોને જ દૂર કરવા દઢ પ્રયત્ન કરે એ જ ઉત્તમ નીતિવંતનું ખાસ કર્તવ્ય છે, અને એવાં સદાચરણથી જ મેક્ષ પર્યન્તની અક્ષય લક્ષમીલીલા અનાયાસે પ્રાપ્ત થઈ શકે છે. આ વાત જેને વિવેકદૃષ્ટિ જાગી હોય તે જ સમજીને આદરી શકે છે, બાકી તો લેભાંધપણે ચાણામે ખરા રાજ્યના હકદાર રાજા પર્વતને મારી પિતાનો સ્વાર્થ સાથે તેમ બને છે. તુચ્છ સ્વાર્થ સાધવા આવી હત્યા કરવી એ બહાદુરીનું કામ ન કહેવાય. ખરું છે કે ભાંધને વિશ્વાસ કરે તે હિતકર ન જ થાય, એક ઘુઅડે પ્રપંચી કાગડાઓનો ભેળપણથી વિશ્વાસ કર્યો હતો, જેથી બધા કાગડાઓએ મળીને યુક્તિથી તેને અને બીજા કંઈક ઘુઅડેનો ઘાણ કાઢ્યો હતો. તેમ ન થાય એવી સાવધાનતા તે અવશ્ય રાખવી જ જોઈએ. ઉક્ત ભેળા ઘુઅડની પેઠે જે સમાચિત સાવધાનતા રાખતા નથી, સ્વર્તવ્ય કર્મમાં પ્રસાદ કે શિથિલતા કરે છે તેમના પણ તેવા હાલ થાય તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી. જ્યારે સ્વહિત સાચવવામાં અસાવધાન યા બેફીકર રહેવાથી કેઈને હાનિ થવા પામે છે ત્યારે તેની ટીકા કરતાં કઈકને આવડે છે ને “પપદેશે પાંડિત્ય ” –બીજાને ઉપદેશ દેવા શૂરાપૂરા થઈ જાય છે, પણ જ્યારે એ જ ઉપદેશ પિતાની જાતને આપવાની જરૂર પડે છે ત્યારે તે કેવળ આળસુ-પ્રમાદી બને છે એ જ ખેદની વાત છે. એક સમર્થ વિદ્વાન ગ્રંથકાર પવિત્ર બેધવાક્યરૂપે જણાવે છે કે અન્યને શિખામણ દેવામાં જ વિચક્ષણતા-ડહાપણ બતાવનારા