________________
લેખ સંગ્રહ
[ ૧૧૯ ]
જે સદ્ભાગી દ્રવ્ય-લક્ષ્મીના માહુ તજી તેના વિવેકથી સદુપયેાગ જ કરે છે તે આંતર-ભાવલક્ષ્મીને પ્રાપ્ત કરી અંતે પરમપદ-મેાક્ષને પામે છે.
૪. કૃપણતા ત્યાગ.
કૃપણતા દોષ તજવા અને ઉદાર દિલ કરવા હિતાપદેશ. કણ કણ જીમ સંચે, કીટિકા ધાન્યકેરા, મધુકર મધુ સચે, ભગવે કે। અનેરે; તિમ ધન કૃષિકેશ, નાપકારે દિવાયે, ઈમ હિ વિલય જાયે, અન્યથા અન્ય ખાયે. કૃપણપણું ધરતાં, જે નવે નંદરાયા, કનકગિરિ કરાયા, તે તિહાં અથ નાયા; ઇમ મમત કરતા, દુઃખવાસેા વસીજે, કૃપણપણું. તજીને, મેધ જ્યું દાન દીજે.
.
જેમ કીડી કણ કણ સચીને અનાજને એકઠું કરે છે, અને મધમાખ પુષ્પના પરાગ એકઠા કરી કરીને મધ મનાવે છે.
46
""
,,
કીડીનું સંચ્યું તેતર ખાય અને પાપીનું ધન એળે જાય. ” એ ન્યાયે કૃપી કૃપણુનું ધન કાઇ સારા કામમાં વપરાતુ કે દેવાતુ નથી. “ તેના હાથ ઉપર જમડા બેઠેલા હાય છે. જેથી “ ચમડી તૂટે પણ દમડી છૂટતી નથી. ’’ આમ હાવાથી કૃપણુનું ધન કાં તે જમીનમાં દાટવું જ રહે છે, અથવા કાઇ નશીખદાર તેના ભાગવટા કરે છે, અથવા તેા એના પુન્યના
૧ સાનાની ડુંગરીએ.