________________
[ ૮૨ ]
શ્રી કપૂરવિજયજી
વચન દી સજ્જનેાને પણ સંતાપે છે. તેમનાથી તેા સદંતર દૂર રહેવું દુરસ્ત છે. ફ઼રગડુ મુનિની પેઠે ગમે તેવા પ્રસંગે જે સમતા રસમાં જ ઝીલે છે તેને જ મેાક્ષ થાય છે.
૨૩. માનત્યાગ
માન કષાયના ત્યાગ કરવા હિતાપદેશ. વિનય વનતણી જે, મૂળ શાખા વિમેાડે, સુગુણ કનકકેરી, શૃંખલા ધ ડે; ઉનમદ કરી ઢાડે, માન તે મત્ત હાથી, નિજ વશ કરી લેજે, અન્યથા દૂર એથી. ૪૭ વિષદ વિષ સમેાએ, માન તે સર્પ જાણા, મનુષ્ય વિકળ હવે, એવુ કે જડાણા; ઈદુ ન પરિહર્યા જો, માન દુર્ગાને તૈા, નિજ કુળ વિણસાડ્યો, માનને જે વહ તા. ૪૮
વિનયરૂપી વડવૃક્ષની મૂળ સુધી નમેલી નમ્રતારૂપી શાખાને માન મરડી નાંખે છે અને સદ્ગુણરૂપી સાનાની સાંકળના અધ પણ તેાડી નાંખે છે. તેવા ઉન્માદથી દોડતા માનરૂપી મદ્રેન્મત્ત હાથીને અંકુશવર્ડ ઇમીને વશ કરી લેવા જોઇએ. સર્વથા વશ ન કરી શકાય તેા તેનાથી દૂર તેા રહેવું જ, પણુ તેને વશ તેા ન જ થઇ જવું. માનને વશ થનારના ભૂંડા હાલ થાય છે, લેાકમાં અપવાદ થાય છે અને ગતિ પણ માઠી થાય છે.
માનને એક મહાન ઝેરી સર્પ-ઉગ્ર વિષધર-અજગર સમજો, જેના એક ડંખ માત્રથી મનુષ્ય સૂચ્છિત થઇ જાય છે. એ દુષ્ટ માનના ત્યાગ દુર્યોધને કર્યા નહિ અને પેાતાના પૂજય