________________
[ ૯૦ ]
શ્રી કપૂરવિજયજી ૨૭. સત્ય વાણી સત્ય વાણી વદવાને પ્રભાવ સમજી પ્રિય અને
હિતવચન જ ઉચારવા હિતોપદેશ, ગરલ અમૃત વાણું, સાચથી અગ્નિ પાણી, સૃજ સમજ અહિ રાણી, સાચ વિશ્વાસ ખાણું; સુપ્રસન્ન સુર કીજે, સાચથી તે તરીને, તિણ અલિક તજીજે, સાચ વાણું વદીજે. પપ જગ અપજસ વાધે, કૂડ વાણું વદંતા, વસુ પતિ મુગત્યે, સાખ કૂડી ભરંતા; અસત વચન વારી, સાચને ચિત્ત ધારી,
વદ વચન વિચારી, જે સદા સખ્યકારી. ૧૬ પ્રિય, પથ્ય અને તથ્ય ( મિષ્ટ-મધુર લાગે અને હિતરૂપ થાય એવું ) યથાર્થ વચન વદવા સદા સર્વદા નિજ લક્ષ રાખનાર આ લેકમાં અને પરલોકમાં બહુ સુખી થાય છે, આ ભવમાં વિશ્વાસપાત્ર બની ભારે પ્રતિષ્ઠા પામે છે અને પરભવમાં સ્વર્ગાદિના સુખ પામે છે. તેથી સત્ય વચન જ વદવા દઢ પ્રતિજ્ઞા કરવી ઘટે છે. સત્ય બતના દઢ અભ્યાસથી વચનસિદ્ધિ થવા પામે છે. તેના પ્રભાવથી ઝેર અમૃતરૂપે પરિણામ પામે છે, અગ્નિ જળરૂપ થઈ જાય છે, કાળી નાગણ પુષ્પની માળારૂપ થાય છે, લેકમાં ભારે વિશ્વાસ બેસે છે, દેવતાઓ બહ પ્રસન્ન થાય છે અને અંતે ભવસમુદ્રને પાર પમાય છે. એમ સમજી અસત્ય વાણુને ત્યાગ કરી અન્ય જનોને પ્રિય અને હિતરૂપ થાય એવી સત્ય વાણી જ વદવી ઘટે છે.
૧ ઝેર અમૃત થાય. ૨ નાગણ પુષ્પમાળા થાય. ૩ અસત્ય-ખોટું.