________________
[ 2 ]
શ્રી કરવિજયજી
૨૮. અસ્તેય ચેરી કરવાની ટેવથી થતી ખુવારી સમજી નીતિ
આદરવા હિતોપદેશ. પરધન અપહારે, સ્વાર્થને ચોર હારે, કુળ અજસ વધારે, બંધ ઘાતાદિ ધારે, પરધન તિણું હેતે, સર્પ ન્યૂ દૂર વારી, જગજન હિતકારી, હોય સંતોષ ધારી. પ૭ નિશિદિન નર પામે, જેહથી દુઃખ કેટી, તજ તજ ધન ચેરી, કષ્ટની જેહરી '; પરવિભવ હરે, રહિણી ચોર રંગે,
ઇહ અભયકુમારે, તે ગ્રહ્યા બુદ્ધિસંગે. ૫૮ દ્રવ્યના લોભથી કુછંદવશ કુબુદ્ધિ ધરીને ચેર લેકે પારકા ધનને ગમે તે પ્રકારના છળ-કપટ કરીને અપહરી લે છે, તેથી તેમનો સ્વાર્થ ઊલટો બગડે છે. તેઓ પિતાને વખત ભયાકુળ સ્થિતિમાં જ પસાર કરે છે. ક્યાંય જંપીને બેસી કે શયન કરી શકતા નથી, સુખે ખાઈ-પી શકતા નથી, પણ રાતદિન પકડાવા કે દંડાવાના જ ભયમાં રઝળતાં ફરે છે. તેમના મનને કયાંય ચેન પડતું નથી. તેની સાથે તેમના કુટુંબકબીલાના પણ ભેગ મળે છે. કુળની કીર્તિને પણ લોપ થઈ જાય છે અને વધ બંધનાદિક કષ્ટ સહવા પડે છે. ચોરીના અપલક્ષણથી સર્ષની જેમ કોઈ તેમનો વિશ્વાસ કરતું નથી. આ ભારે દોષ નિવારવાને ખરે ઉપાય સંતોષ જ છે.
જેથી જીવને રાતદિવસ અનેક દુખનો કડે અનુભવ કરવો પડે છે, તે કષ્ટની ખાણ જેવો ચોરી કરવાને દોષ
૧. ઓરડી ?