________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૭ ] જરૂર તજવા જે જ છે. રેહિણી ચેર પારકા દ્રવ્યને ખૂબ અપહરી લેતો હતો, પણ શ્રી વીરપ્રભુનાં વચનથી જ બચવા પામ્ય, અભયકુમારથી પણ ન પકડાણે અને પછી તેણે વીરપ્રભુનું જ શરણ સ્વીકાર્યું.
પરાઈ નજીવી વસ્તુ ઉચકવાની કે છીનવી લેવાની ટેવ આગળ ઉપર ભારે ભયંકર રૂપ ધારી બેસે છે અને તે આગળ જતા જીવલેણ વ્યાધિની પેઠે તેના પ્રાણ પણ હરી લે છે. જે શરૂઆતથી જ બાળકે ઉપર નીતિના અને ધર્મના શુભ સંસ્કારો પાડવામાં આવ્યા હોય તે પ્રાય: આવી ભયંકર ભૂલ પાછળની વયમાં ભાગ્યે જ થવા પામે છે. સંતતિનું ભલું ઈચ્છનાર માબાપાએ તેવી દરકાર રાખવી જોઈએ અને પિતાના બાળકોને સારા જાતિવંત અને ધર્મશીલ શિક્ષક પાસે કેળવવાં જોઈએ. બાળકો જેવું દેખે તેવું સહેજે શીખે છે તેથી તેમની સમીપે, દષ્ટિ સામે કોઈ પણ અનીતિભર્યું આચરણ ન કરવું એવી સંભાળ રાખવી જોઈએ. કવચિત્ દેવગે બાળક એવી કંઈ ભૂલ કરે તે તે માબાપોએ કે તેના શિક્ષકે તેને સમજાવી સુધરાવી લેવી જોઈએ. કેટલાક સુધરેલા દેશમાં કેદીચરને પણ સદુપદેશવડે સુધારી શકાય છે તો પછી બીજા એનું તે કહેવું જ શું ? ઉદ્યમ અને ખંતથી ગમે તેવાં કઠણ કામ પણ થઈ શકે છે, ગમે તેવાં વ્યસન દૂર કરી શકાય છે અને સ્વપર હિત સાધી શકાય છે.