________________
[ ૧૦૦ ]
શ્રી કરવિજયજી પરિવાર ઉપર કે શરીરાદિક સંગિક વસ્તુઓ ઉપર મિથ્યા મમતા રાખી જીવ દુઃખી જ થાય છે, એમ સમજી શાણું જનોએ સંતોષવૃત્તિ જ સેવવી યુક્ત છે.
૩ર. વિષયતૃષ્ણ વિષય તૃષ્ણા તજવા હિતોપદેશ. શિવપદ યદિ વછે, જેહ આનંદદાઈ, વિષ સમ વિષયા તો, છાંડી દે દુઃખદાઈ મધુર અમૃત ધાર, દૂધની જે લહીજે,
અતિ વિરસ સદા તે, કાંજિકા શું ગ્રહીએ? ૬પ વિષય વિકળ તાણી, કીચકે ભીમભાર્યા,
દશમુખ અપહારી, ૩જાનકી રામભાર્યા પતિ ધરી રહનેમિ, ફીડવા નેમિનાર્યા.
જિણ વિષય ન વર્ષા, તે જાણે અનાર્યા. ૬૬ હે ભવ્યાત્મન ! જે તું પરમ આનંદદાયક મોક્ષ-સુખને ચાહતો જ હોય તો પરિણામે પરમ દુઃખદાયક વિષ જેવા વિષયભેગને તું તજી દે, ચારિત્રનું શુદ્ધ-નિર્મળભાવે સેવન કરી લેવારૂપ અમૃતની ધારા પી લે. એ તે દેખીતું સત્ય છે કે જે દૂધની મધુર અમૃતધારા મળતી હોય તો પછી અતિ વિરસ-ખાટી કાંજિકા–છાશનો શા માટે આદર કરે જોઈએ? ન જ કરે જોઈએ. સંતોષ એ ખરું અમૃત છે અને અસંતોષ અથવા વિષયતૃષ્ણ એ ખરેખર પ્રાણહારક ઉગ્ર વિષ સમાન હોવાથી તજવા ગ્ય જ છે.
૧ દ્રૌપદી. ૨ રાવણ૩ સીતા.