________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૯ ] અસહ્ય દુઃખ સહેવાં પડે છે. સ્વાર્થવશ જે પરને પરિતાપ ઉપજાવવામાં આવે છે તેથી અનંતગુણે પરિતાપ પામવાને પ્રસંગ પિતાને જ આવી પડે છે. આ લોકમાં જ એથી વધ, બંધન, છેદન, ભેદન પ્રમુખ અને પરભવમાં નરકાદિનાં દુઃખ સહેવાં પડે છે, પરંતુ જે કઈ જ્ઞાની ગુરુની કૃપાથી વિવેક દષ્ટિ ખુલે અને ક્ષમાગુણ પ્રગટે તે દુષ્ટ હિસાદોષથી બચી અમૃત જેવી અહિંસા યા દયાને લાભ મેળવી શકાય.
સર્વ પ્રાણીવર્ગને સ્વાત્મતુલ્ય લેખી સુખશાતા ઉપજાવ. વામાં આવે છે તે પરિણામની વિશુદ્ધિથી પિતાને જ આ લેકમાં તેમ જ પાકમાં અનેકગણ સુખશાતા ઉપજે છે. જેવાં બીજ વાવે તેવાં જ ફળ મળે છે, એમ સમજી સુજ્ઞ જનોએ હિંસારૂપ વિષબીજ નહિ વાવતાં અહિંસારૂપ અમૃત બીજ જ વાવવાં જોઈએ. સંક્ષેપમાં “gurt: પુળ્યાવે, Tigય ઉજવી નમ ” પરોપકાર પુન્ય ફળને માટે અને પરપીડન પાપ ફળને માટે થાય છે. સત્ય, પ્રમાણિકતા, શીલ અને સંતોષાદિ વ્રત નિયમે આદરી પાળવાન અંતરંગ હેતુ દયાધર્મની રક્ષા અને પુષ્ટિ અર્થે જ છે, એ મુદ્દાની વાત નિજ લક્ષમાં રાખી શાસ્ત્રવચનને અનુસરવા પ્રમાદ રહિત પ્રયત્ન કરે ઉચિત છે.