________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૭ ]
આકર સમ હી દોષ કા, ગુણધન કે ખડ ચાર; વ્યસન વેલીકા કંદ હૈ, લાભ પાસ ચિહું ઓર. ”
66
લેાભ સર્વ દોષની ખાણ છે, શુધન હરી લેનાર ભારે ચાર છે, દુ:ખવેલીનું મૂળ છે અને પ્રાણીઓને ફસાવવા ચારે બાજુ રચેલા પાસ (જાળ) છે. જેમ જેમ ઇચ્છિત લાભ મળે છે તેમ તેમ લેાભ વધતા જાય છે. પ્રાણીએની ઇચ્છા આકાશના જેવી અનતી–અંત વગરની છે. મનેારથ ભટની ખાડ પૂરવા જતાં તે ઊંડી જતી જાય છે, તે કઇ રીતે પૂરી શકાતી નથી-અધૂરી તે અધૂરી જ રહે છે. વળી શાસ્ત્રકારે લાભને સર્વભક્ષી દાવાગ્નિની ઉપમા આપી છે. સતાષવૃત્તિથી જ તે શાન્ત થઇ શકે છે.
વળી તેને અગાધ સમુદ્રની ઉપમા આપેલી છે. સતાષરૂપ અગસ્તિ જ તેને અંજલીરૂપ કરી શકે છે. લેાલ મહાભયંકર ઉપાધિરૂપ છે.
લાભરૂપ વાદળાં વધે છે ત્યારે પ્રચૂર પાપરૂપ કાદવ થાય છે, જેથી ત્યાં ધર્મ હંસને રહેવું ગમતું નથી અને અજ્ઞાન અંધકાર છવાઇ જવાથી જ્ઞાન-પ્રકાશ પણ રહેતેા નથી. લેાભતૃષ્ણાને શાન્ત કરવા સતાષ-અમૃત સેવવાની બહુ જરૂર છે. જેમ સારા મજબૂત કાંટાવડે નમળેા કાંટા કાઢી શકાય છે, તેમ પ્રશસ્ત ધર્મ લાભવડે અપ્રશસ્ત ખાટા લેાભ દૂર કરી શકાય છે. એ વાત સર્વત્ર લાગુ પડે છે.
૧ અગસ્ત્ય નામના ઋષિ થઈ ગયા છે જેણે સમરત સમુદ્રનું પાન કર્યું હતું, એમ લૈાકિક શાસ્ત્ર કહે છે.