________________
[ ૮૪]
શ્રી કપૂરવિજયજી ૨૪. માયા-કપટત્યાગ માયા-કપટને ત્યાગ કરવા હિતોપદેશ. નિપુરપણું નિવારી, હિય હેજ ધારી, પરિહર છળ-માયા, જે અસંતોષકારી; મધુર મયુર બેલે, તેથી વિશ્વાસ નાણે, અહિ ગલણ પ્રમાણે, માચીને લોક જાણે. ૪૯ મ કર મ કર માયા, દંભ દોષ છાયા, નરય તિરિયકેરા, જન્મ જે દેહ માયા; બળિ નૃપ છળવાને, વિષ્ણુ માયા વહેતા, લયતણું બધું જે, વામના રૂપ લેતા. પ૦ હે ભાઈ ! નિર્દયપણું તજી, નિજ હદયમાં સહુ પ્રત્યે હેત ધારી, અન્યને અસંતોષ ઉપજાવે એવી માયા-કપટ કરવાની ટેવ તું મૂકી દે. મીઠાબોલા માયાવી માણસોને વિશ્વાસ કઈ કરતું નથી. જેમ મીઠા બોલા મોરને વિશ્વાસ સર્ષ કરતા નથી, કેમકે તે સર્ષને જીવતા ને જીવતા જ ગળી જાય છે, એવી નિર્દયતા મેરમાં રહેલી છે, તેમ માયાવી માણસ ગમે તેવું મીઠું મીઠું બેલે પણ લોકોને તેને વિશ્વાસ આવતો નથી, કેમકે માયાવી માણસનું હૃદય ઘણું કઠેર હોય છે.
દંભ-મિથ્યા આડંબરરૂપી દોષ વૃક્ષની છાયા જેવી માયાને હે ભવ્યાત્મન્ ! તું મ કર, મ કર. જે કોઈ દેહધારી માયા-કપટ કરે છે તે નરક કે તિર્યંચના ભવમાં જઈ અવતરે છે અને પછી પરાધીનપણે ભારે કષ્ટ સહે છે, તે કરતાં પ્રથમથી જ
૧ હૃદયમાં. ૨ હેત. ૩ ભરૂપ વૃક્ષની છાયા જેવી.
માં સહુ
ઉપજાવે
થી . સી
' કરતું ન