________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૩ ] જનોનાં હિતવચનો અનાદર કરી, પાંડવોને યેગ્ય સત્કાર કરવાને બદલે તેમને વિનાશ કરવા યુદ્ધ મચાવ્યું છે તેથી પોતાના જ કુળને ક્ષય કર્યો.
જ્ઞાની પુરુષો માનને ઊંચા પર્વતની ઉપમા આપે છે. તેને આઠ પ્રકારના મદરૂપી ઊંચા ઊંચા આઠ શિખરે આવી રહેલાં છે, જેથી જીવને સુખકારી પ્રકાશ મળી શકતો નથી. માનરૂપી વિષમ ગિરિરાજને ઉલ્લંઘ બહુ કઠણ છે, પણ શાસ્ત્રકાર તેનો ઉપાય બતાવે છે.
મૃદતા કમલ કમળસેં વજસાર અહંકાર; છેદત હે એક પલકમેં, અચરિજ એહ અપાર
સમતા શતક નમ્રતા-નરમાશ કમળ કરતાં પણ કમળ છે અને અહંકાર વજી કરતાં પણ કઠણ છે, તેમ છતાં નમ્રતા અહંકારને એક પલકમાં ગાળી નાંખે છે એ ભારે આશ્ચર્યકારી છે. તેથી જ કહ્યું છે કે-“નમે તે પ્રભુને ગમે.” સગુણું સજજનો તે સફળ આંબાની જેમ નમી પડે છે, ફક્ત સૂકા સાગ જેવા અભિમાની લેકે જ નમતા નથી–અકકડબાજ રહે છે. માનવશ થયેલા રાવણ જેવા રાજવીના પણ માઠા હાલ થયા તે પછી બીજા અપ સત્ત્વવંતનું તો કહેવું જ શું ? બિભીષણે જે અભિમાની રાવણને ત્યાગ કરી ન્યાયમૂત્તિ શ્રી રામચંદ્રને આશ્રય લીધે તો સઘળી વાતે સુખી થયે, તેવી રીતે દુષ્ટ સંગ તજી જે સત્સંગ કરશે તે ઉભય લોકમાં સુખ સમૃદ્ધિ પામશે.