________________
[ ૮૦ ]
શ્રી કર્ખરવિજયજી મહારાજ જ્યાં રથકાર રાહ જોઈ રહ્યો હતો ત્યાં પધાર્યા. ગુરુ તપસ્વીને જોઈ રથકાર બહુ રાજી થશે અને તે આહાર વહરાવવા જાય છે અને હરણીયે તેનું અનુમોદન કરે છે એવામાં એકાએક અધીર કાપેલી ડાળ તૂટી પડતાં શુદ્ધ ભાવનાથી ત્રણે જણા કાળ કરીને પાંચમા દેવલેકે દેવ થયા. ત્યાંથી
વી મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષે જશે.
૨૨. ક્રોધ ત્યાગ ક્રોધ કષાયને ત્યાગ કરવા હિતોપદેશ. વણ દહન દાંતો, વસ્તુ ક્યું સર્વ બાળે, ગુણરયણ ભરી ત્યું, કોધ કાયા પ્રજાળે; પ્રશમ જળદર ધારા, વહ્નિ તે કોઈ વારે, તપ જપ વ્રત સેવા, પ્રીતિવલી વધારે. ૪૫ ધરણિ ફરસુરામે, કોથે નિક્ષત્રી કીધી, ધરણિ સુભૂમરાયે, કોંધે નિ:બ્રહ્મી કીધી; નરક ગતિ સહાઈ, કોધ એ દુઃખદાઈ
વરજવરજ ભાઇ ! પ્રીતિ દેજે વહાઈ, ૪૬ જેમ તૃણગ્નિ ઊઠ્યો તો સર્વ વસ્તુને બાળી નાંખે છે, તેમ ક્રોધાગ્નિ પ્રગટ્યો તો અનેક ગુણરત્નથી ભરેલી કાયાને બાળી ખાખ કરી નાંખે છે. જે તેને શાન્ત કરવા ચાહતા જ હે તે તેના ઉપર સમતારસની ધારા ધોધબંધ વરસાવે, જેથી કષાયરૂપી અગ્નિ ઠરી જશે અને તપ-જપ-વ્રત આદરવાવડે પ્રીતિરૂપી વેલ વિસ્તરશે.
૧ અગ્નિ. ૨ વરસાદ. ૩ પૃથ્વી.