________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી દમન કરવાવડે જ બાહ્ય તપને અને બાહ્ય તપવડે જ અત્યંતર તપનો લાભ મળી શકે છે. તે વડે જ કર્મની નિરા-કર્મક્ષય થાય છે અને તે વડે જ જન્મમરણ રહિત મોક્ષપદ પ્રાપ્ત થાય છે, એમ સમજી સુજ્ઞ ભાઈબહેનોએ ઉક્ત પ્રભાવશાળી તપ સેવવા અધિક આદર કરવો ઉચિત-યુક્ત છે.
૨૧. ભાવ ધર્મ
ભાવ ધર્મને પ્રભાવ. મન વિણ મળવો જ્ય, ચાહે દંતહીણે, ગુરુ વિણ ભણવે જ્ય, જીમ ર્યું અલૂણે; જસ વિણ બહુ જીવી, જીવ તે ક્યું ન સહે, તિમ ધરમ ન સેહે, ભાવના જે ન હેહે. ૪૩ ભરત નૃપ ઈલાચી, જીરણ શ્રેષ્ઠી ભાવે, વળી વલકલચીરી, કેવળજ્ઞાન પાવે, હળધર હરિણે જે, પાંચમે સ્વર્ગ જાયે,
ઇહ જ ગુણ પસાયે, તાસ વિસ્તાર થાય. ૪૪ જેમ મન વગરનું મળવું, દાંત વગરનું ચાવવું, ગુરુગમ વગરનું ભણવું, અલૂણું ધાન જમવું અને જશ વગર ઘણું જીવવું એ શોભતું નથી તેમ હૃદયના ભાવ વગર ધર્મ પણ શેભતો નથી. હૃદયની સાચી ભાવનાથી જ ભરત મહારાજા આરીસાભુવનમાં નિજ સ્વરૂપ અવલોકન કરતાં કરતાં નિર્મળ કેવળજ્ઞાન પામ્યા હતા.
૧ લૂણ વિનાનું. ૨ બળભદ્ર-બળદેવ.