________________
[ ૫૪]
શ્રી કપૂરવિજયજી વિયેગશીલ હોય છે; જ્યારે મુનિજનેને પ્રાપ્ત થયેલ શમ-ઉપશમ–પ્રશમનિત સહજ સ્વાભાવિક સુખશાન્તિ અલૌકિક અને ચિરસ્થાયી હોય છે. તેથી જ શ્રીમાન ઉપાધ્યાયજીએ સમતાશતકમાં ઠીક જ કહ્યું છે કે –
ક્ષમા સાર ચંદન સે, સિંચે ચિત્ત પવિત્ત; દયા વેલ મંડપ તલે, હે લહે સુખ મિત્ત ) “ દેત ખેદ વજિત ક્ષમા, ખેદ રહિત સુખ રાજ;
તામું નહિ અચરિજ કછુ, કારણ સરિખે કાજ.”
હે ભવ્ય જ ! ક્ષમારૂપ શ્રેષ્ઠ ચંદન રસવડે તમારા પવિત્ર ચિત્તને સિંચે, તેમ જ દયારૂપ મનહરલતામંડપ તળે જ રહે અને તે મિત્રો ! સ્વાભાવિક શાતિને અનુભવે. જે ભવ્યાત્મ કંઈ પણ કચવાટ વિના સ્વકર્તવ્ય સમજી સહનશીલતા રાખે છે તે અખંડ સુખશાંતિનો અદ્ભુત લાભ મેળવી શકે છે, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
સુજ્ઞ જજોએ જે કારણેથી ક્રોધાદિ કષાયને ઉદય થાય તે તે કારણથી અલગ રહેવું અને જે જે કારણોથી ક્રોધાદિ કષાય ઉપશાન્ત થાય તેવાં કારણેનું સેવન કરવું જરૂર રનું છે. તેને માટે ગજસુકુમાળાદિક મહામુનિઓના દષ્ટાન્ત ગ્ય જ છે.
જ્યાં કોધ પ્રગટે છે ત્યાં તેનો સહચારી માને પણ પ્રગટે છે અને જ્યાં એ ક્રોધ-માનરૂપ કંઠ પ્રગટ થાય છે ત્યાં માયા અને લાભ એ દ્રઢ પણ સાથે જ પ્રગટે છે. ઉક્ત ચારે કષાયના તાપથી પરિત જીવને કયાં ય લગારે સુખ–શાન્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી, એટલું જ નહિ પણ અનેક પ્રકારના