________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૧ ] ૧૮ દાન ધર્મ
દાન ધર્મને પ્રભાવ થિર નહીં ધન રાખે, તેમ નાંખ્યો ન જાએ, ઈણિ પરે ધન જતાં, એક ગયા જણાએ; ઈહ સુગુણ સુપાત્રે, જેહ દે ભક્તિભાવે, નિધિ જિમ ધન આગે, સાથ તેહી જ આવે. ૩૭ નળ બળિ હરિચંદા, ભેજ જે જે ગવાયે, પ્રહસમય સદા તે, દાનકેરે પસાયે; ઈમ હૃદય વિમાસી, સર્વથા દાન દીજે, ઘન સફળ કરી જે, જન્મનો લાહ લીજે. ૩૮
લક્ષ્મીનો એ ચપળ સ્વભાવ છે કે તે એક જ સ્થળે લાંબે વખત ટકી રહે નહિ, તેમ છતાં લક્ષમી ઉપરને મેહ પણ એટલે બધે ભારે જીવને લાગેલું હોય છે કે તેને હાથે કરી છોડાય પણ નહિ, એટલે કે જ્યાં સુધી લક્ષ્મી દેવી સુપ્રસન્ન હોય ત્યાંસુધી સમજીને તેનો મોહ તજી તેને સત્પાત્રે ખચી પણ શકે નહિ. એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. જો કે કૃપણુતા દોષથી લક્ષ્મીને સદુપયોગ કરી શકાતે નથી પણ તેને સંબંધ તો સરજાયે હોય એટલે જ વખત રહે છે, પછી તે તેને વિગ થાય જ છે. હાય તો કૃપણુદાસ પરલોક સિધાવે ત્યારે કે તેના પુન્યનો ક્ષય થાય ત્યારે લક્ષમીન સંબંધ તૂટે છે જ, આમ સમજીને જે સુજ્ઞ જને ઉદાર દિલથી મળેલી લક્ષમીને સુપાત્રે આપી તેને હલાવે લે
૧ લાહ-લાભ.