________________
લેખ સંગ્રહ : ૨:
[ ૬૯ ] ઝિર જેવા સાત્વિક પુરુષ થઈ ગયા છે અને વર્તમાનકાળમાં પણ જે જે પુરુષ સાત્વિકપણે પ્રાપ્તસામગ્રીને સદુપયેાગ કરે છે, તેમનાં પવિત્ર ચરિત્રને લક્ષમાં રાખીને, જે તુચ્છ સ્વાર્થવૃત્તિને તજી નિ:સ્વાર્થ પણે તન, મન અને ધનથી પરોપકાર કરવામાં આવે છે તો તેથી સ્વ માનવજીવન સાર્થક કરીને અલોકિક સુખ-સમૃદ્ધિને સ્વાધીન કરી અંતે અક્ષય અનંત મેક્ષપદ પમાય છે.
૧૭. ઉદ્યમ સઉદ્યમ-પુરુષાર્થ સેવવા માટે હિતોપદેશ રયણનિહિ તરીને, ઉદ્યમે લચ્છી આણે, ગુર ભગતે ભણીને, ઉદ્યમે શાસ્ત્ર જાણે, દખસમય સહાઈ ઉદ્યમે છે ભલાઈ અતિ આળસ તજીને, ઉદ્યમે લાગ ભાઈ! ૩૫ પશિર નિયતંતી, વીજ ઝાત્કારકારી, ઉદ્યમ કરી સુબુદ્ધિ, મંત્રીએ તે નિવારી; તિમ નિજસુતકેરી, આવતી દુર્દશાને,
ઉદ્યમ કરી નિવારી, જ્ઞાનગભ પ્રધાને, ૩૬ ઉદ્યમવંત લાકે હિંમત ધરી, યોગ્ય સાધન મેળવી દરીઓ ખેડીને પુષ્કળ લક્ષમી કમાઈ લાવે છે. તેમ જ ઉદ્યમવંત શિષ્યો વિનય ગુણવડે ગુરુને ભક્તિ વડે પ્રસન્ન કરીને અખૂટ શાસ્ત્ર (જ્ઞાન)ધન પ્રાપ્ત કરી શકે છે. આપત્તિ સમયે ઉદ્યમ એ એક સારો સહાયકારી મિત્ર થાય છે અને ઉદ્યમવડે આવી પડેલી આપત્તિને ઉલ્લંઘી બીજાનું પણ ભલું કરી શકાય છે, એમ સમજી આપદા આપનારું આળસ દૂર કરી નાંખીને એક સુખદાયક