________________
[ ૬૮ ]
શ્રી Íરવિજયજી નળ કરણ નીરંદા, વિક્રમ રામ જેવા, પરહિત કરવા જે, ઉદ્યમી દક્ષ તેવા. ૩૪ હે ભવ્યાત્મા ! આ શરીર, લક્ષ્મી, વન અને આયુષ્ય સઘળાં ક્ષણવિનાશી છે, જોતજોતામાં નાશ પામી જાય તેવાં છે, તેથી તેની ઉપર મેહ-મમતા કરી વિશ્વાસ રાખી બેસી રહેવાનું નથી. આ સમયે સઘળી અનુકૂળ સામગ્રી પામ્યો છું તેને સફળ કરી લેવાની છે, તેને એળે ગુમાવી દેવી જોઈતી નથી. તારાથી બની શકે તેટલું પરહિત-પરોપકાર કરી લેવા વિલંબ કરીશ નહિ. જ્યારે જરા-વૃદ્ધાવસ્થા આવી પહોંચશે અને જાલીમ જમનું તેડું આવશે તે વખતે હે ભેળા ! તારી સહાયે કેણ આવશે? વળી તે વખતે તું શું કરી શકીશ? અથવા આગ લાગે ત્યારે કૂવો ખોદવો શા કામનો ? તે માટે શાસ્ત્રકારે ઠીક જ કહ્યું છે કે-“જ્યાં સુધીમાં જરા આવીને પીડે નહિ, વિવિધ વ્યાધિઓ વધીને ઘેરી લે નહિ, અને ઈદ્રિ ક્ષીણશક્તિવાળી થઈ જાય નહિ ત્યાંસુધીમાં ઓ ભદ્રક! તારું હિત–શ્રેય-કલ્યાણ થાય તેવું–તેટલું કરી લે-ભૂલીશ નહિ.”
જે ! આમ્રાદિ વૃક્ષે પોતાની શીતળ છાયા અને અમૃત જેવાં મીઠાં ફળ બીજાને આપી કે-કેટલે લોકોપકાર કરે છે? પિતાના ફળ પિોતે ખાતા નથી. તેમ જ ગંગા જેવી નદીઓ પોતાનાં નિર્મળ નીર અઢળક રીતે બીજાને આપી કેટલી પરણાગત કરે છે ? પિતાના પાણી પોતે પતી નથી. જેઓ આ માનવદેહાદિક રુડી સામગ્રી પામીને તન, મન અને ધનથી પરમાર્થ સાધે છે-નિઃસ્વાર્થ પણે પરહિત કરે છે, તેઓ જ સ્વજીવન સાર્થક કરે છે.
પૂર્વકાળમાં જે નળ, કર્ણ, વિક્રમ, રામ અને યુધિ