________________
[ ૬૪ ]
શ્રી કપૂરવિજયજી થઈ જાય છે. વિનય એ એક અપૂર્વ વશીકરણ લેખાય છે. તે માટે એગ્ય જ કહ્યું છે કે –
મૃદતા કમળ કમલસેં, વજસાર અહંકાર;
છેદત હૈ એક પલકમેં, અચરિજ એહ અપાર. મૃદુતા-નમ્રતા-લઘુતા–વિનયગુણ કમળ જેવો કમળ છે, અને અહંકાર–અભિમાન વજીવત્ કઠણ છે. તેમ છતાં એવા કઠણ અહંકારને પણ એક પલકમાં વિનયગુણ ગાળી નાંખે છે, એ અપાર આશ્ચર્યની વાત છે.
સઘળા ગુણાનું મૂળ વિનય છે, તેથી ધર્મ પણ વિનયમૂળ કહ્યો છે. વિનયયેગે જ વિદ્યા, વિવેક અને સમકિતરત્નની પ્રાપ્તિ થાય છે અને તેના પ્રભાવે જ ચારિત્રની અને છેવટ મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે. માતાપિતાદિક વડિલવર્ગને, વિદ્યાગુરુને, શુદ્ધ દેવગુરુને અને શ્રી સંઘ-સ્વમીંબંધુ પ્રમુખને યથાયોગ્ય વિનય-ભકિત બહુમાનાદિકવડે અવશ્ય સાચવવું જોઈએ.
૧૪. વિવેક સર્વિક પ્રાપ્ત કરવા હિતોપદેશ હૃદયધર વિવેકે, પ્રાણી જે દીપ પાસે સકળ ભવતણે તો, મેહ અધાર નાસે, પરમ ધરમ વસ્તુ, તવ પ્રત્યક્ષ ભાસે; કરમ ભર પતંગ, સ્વાંગ તેને વિધાસે ૨૯ વિકળ નર કહીએ, જે વિવેકે વિહીના
સકળ ગુણ ભર્યા છે, તે વિવેકે વિલીના; ૧ કર્મરૂપ પતંગીયા ત્યાં પોતાના શરીરને વિધ્વંસ-નાશ કરે.