________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૬૧ ] મીઠાશ ઉપજે છે, રોમાંચ ખડા થાય છે, જેથી અનહદ આનંદ પ્રાપ્ત થાય છે અને અભિષ્ટ લાભ તત્કાળ મળે છે. ઉક્ત અમૃત કિયાને ખરો લાભ આસ (સર્વજ્ઞ–વીતરાગ)પુરુષોનાં પવિત્ર વચનાનુસારે સમાજ સાથે શાસ્ત્રોક્ત કિયા કરવાના સતત અભ્યાસવડે મળી શકે છે. જેવી રીતે મયણસુંદરીને સતત નવપદજીની સેવા-ભકિત સાથે ધ્યાનના અભ્યાસવડે અમૃતકિયાને લાભ પ્રાપ્ત થયો હતો અને તેના પ્રભાવથી તત્કાળ પોતાના પ્રાણપ્રિય પતિને મેળાપ થયે હતો. એવા અનેક દષ્ટાન્તથી સુજ્ઞ જનાએ પવિત્ર ધર્મકરણ સમજપૂર્વક કરવાના નિત્ય અભ્યાસ વડે જેમ બને તેમ શીધ્ર મન, વચન, કાયાની શુદ્ધ એકાગ્રતા સાધી લેવી ઉચિત છે.
૧૨. ઉત્તમ કુળ
ઉત્તમ કુળને મહિમા-પ્રભાવ સહજ ગુણ વસે યું, શખમાં વેતતાઈ, અમૃત મધુરતાઈ ચંદ્રમાં શીતતાઈ; કુવલય સુરભાઈ, ઈક્ષમાં જયું મીઠાઈ, કુલજ મનુષ્યકેરી, સુભાવે ભલાઇ. જિણ ઘર વર વિદ્યા, જે હવે તે ન ઋદ્ધિ, જિણ ઘરે દુય લાભે, તે ન સૈન્ય વૃદ્ધિ; સુકુળ જનમયોગે, તે ત્રણે જે લહીજે,
અભયકુમાર જયું તો, જન્મસાફલ્ય કીજે. ૧ કમળમાં સુગંધી. ૨ શેરડીમાં મીઠાશ. ૩ કુળમાં ઉત્પન્ન થયેલ. ૪ બન્ને વાના ( વિદ્યા અને લક્ષ્મી ).