________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૫૯ ] ૧૧. ત્રિકરણ શુદ્ધિ ગિકરણ શુદ્ધિ સાચવવા હિતોપદેશ જગ જન સુખદાઇ, ચિત્ત એવું સદાઈ, મુખ અતિ મધુરાઈ, સાચ વાચા સુહાઈ; વપુ પરહિત હેતે, ત્રણય એ શુદ્ધ જેને, તપ જપ વ્રત સેવા, તીર્થ તે સર્વે તેને. મન વચ તનુ ત્રણે, ગંગ ક્યું શુદ્ધ જેને, નિજ ઘર નિવસંતાં, નિજ ધમ તેને; જિમ ત્રિકરણ શુદ્ધ, દ્રૌપદી અંબ વાળ્યો,
ઘર સફળ ફળ તો, શીલ ધર્મ સુહા. ૨૪ આખી આલમને સુખરૂપ થાય તેવું ઉત્તમ ભાવનામય જેનું ચિત્ત સદા ય વતે છે, સહુને હિતરૂપ થાય એવી મિષ્ટમધુરી વાણી જેના મુખમાંથી નીકળે છે અને પરહિતકારી કાર્યોમાં જેની કાયા સદા ય પ્રવર્તે છે, એ રીતે જેનાં મન, વચન અને કાયા એ ત્રણે વાનાં શુદ્ધ–પવિત્રપણે પ્રવર્તે છે તેનાં સઘળાં તપ, જપ, વ્રત, પૂજા અને તીર્થ સેવા સહેજે ફળે છે, અર્થાત્ એ બધા ય સુકૃતનો લાભ તેને સહેજે-અનાયાસે મળી શકે છે. જેનાં ત્રિકરણ શુદ્ધ વર્તે છે તેને વગરક છે પુન્યના પોટલાં બંધાય છે અને તે ત્રણે વાનાં જેનાં મેલાં છે તેને ઉક્ત સઘળી ધર્મકરણ માત્ર કાયકષ્ટરૂપ થાય છે સફળ થઈ શકતી નથી. જેનાં મન, વચન અને કાયા ત્રણે ગંગાના નીર જેવાં શુદ્ધ-નિર્મળ છે તેને પોતાના ઘરે બેઠા છતાં પણ કર્મક્ષય થવા પામે છે, કેમકે તે જે કર્તવ્ય કર્મ કરે છે તે નિષ્કામપણે નિઃસ્વાર્થ પણે નિર્લેપ વૃત્તિથી કરે છે, તેથી તેને કર્મથી