________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૫૭ ]
કરેલી ભૂલ માટે માી માગી લેવી અને ફરી ‘એવી ભૂલ જાણી જોઈને નહિ કરું' એમ કહી સામાનુ મન શાન્ત કરવું, એ આપણે સામાને ખામણાં કર્યા કહેવાય. તેવી જ રીતે સામા કેઇએ એવી જ કોઇ કસૂર કરી આપણી લાગણી દુભાવી હાય, પછી તેને કરેલી કસૂરના ખ્યાલ આવવાથી તે આપણી પાસે ઉપર જણાવ્યા મુજબ માફ઼ી માગે ત્યારે બદલામાં આપણે પણ તેને માફ઼ી આપવી એ આપણી ક્રુજ છે. એમ કરવાથી આપણે પણ ખમ્યા કહેવાઇએ. એ રીતે કવચિત, કમ યાગે થયેલી કસૂર માટે અરસપરસ ખામણાં કરવાં એ જગજયવતા જિનશાસનની ખાસ રીત-મર્યાદા જ છે.
એ ઉત્તમ ખામણાં સફળ ત્યારે જ લેખાય છે કે જ્યારે નિખાલસ દિલથી નમ્રપણે પાતે કરેલી કસૂરને પશ્ચાત્તાપપૂર્વક મારી માગી લઇ, ફરી તેવી કસૂર નહિ કરવાં પૂરતુ લક્ષ રાખવામાં આવે છે. એમ કરવાથી સ્વપર ઉભયને લાભ થાય છે. અરસપરસ ખામણાં કરતાં શાસ્ત્રમર્યાદા લક્ષમાં રાખી લઘુવયવાળાએ મેાટી વયવાળા–વડીલને પ્રથમ ખમાવવું જોઇએ. લઘુવયવાળાનુ મન એમ કરવા સંકેચાતુ હાય તા વડીલે લઘુવયવાળાને પ્રથમ ખમાવવા લક્ષ રાખવું. એથી લઘુવયવાળા શરમાઇને જલદી ખમાવશે. જે સરલપણે ખમે છે અને ખમાવે છે તે ઉભય ( ખમનાર અને ખમાવનાર ) આરાધક કહ્યા છે. જે જાણી જોઈને ખમતા કે ખમાવતા નથી તેને આરાધક કહ્યા નથી. સામે માણસ ક્ષમા કરે કે ન કરે પણ આરાધક થવા ઇચ્છનારે પાતે તેા જરૂર માન મૂકીને
૧ મેાક્ષમાના આરાધનના દશ પ્રકારે પૈકી એ ત્રીજો પ્રકાર છે.