________________
[ ૫૬ ]
શ્રી કર્પરવિજયજી થશે અને તે કઈ રીતે શાન્ત થવાને બદલે અનેક જીવોને અપાર હાનિ કરે એવું મોટું રૂપ પકડશે. તેથી જ શાસ્ત્રકાર એ ક્રોધાગ્નિને ઉપશમાવી દેવાને ઉપાય બતાવે કે – “ક્ષમાણા ર , દુર્જન: વિં સ્થિતિ?
अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥" ક્ષમારૂપ સાચું અને બળવાન સાધન આત્મરક્ષાર્થે જેની પાસે છે તેને કોધી દુર્જન શું કરી શકે ? કશું કરી શકે નહિ. તૃણાદિક રહિત ખાલી ભૂમિ ઉપર પડેલે અગ્નિ આપોઆપ જ બઝાઈ જાય છે, તેને બૂઝવવા માટે બીજી કશી જ મહેનત કરવી પડતી નથી. તેને કશી પુષ્ટિ નહિ મળવાથી તે સહેજે જ શાન્ત થઈ જાય છે. એવી જ રીતે કોધાદિ પ્રસંગે અભુત શાન્તિ–સમતા રાખવાથી સામા ક્રોધી પ્રાણીને પણ કવચિત્ ભારે પશ્ચાત્તાપ પ્રગટે છે અને પોતે કરેલી મોટી ભૂલનો ખ્યાલ કરી વખતે શુભ માગે ચઢી પણ જાય છે. આ રીતે સામા ક્રોધી જીવને પણ જે કવચિત્ લાભ થઈ શકે છે તે તે પ્રસંગે ધીરજ-શાન્તિ-સહનશીલતા રાખવામાં આવે છે તેનું રુડું પરિણામ જાણવું.
આપણું એકાન્ત હિતને માટે જ્ઞાની પુરુષ પિકારી પિકારીને કહે છે કે –“ ખમીએ ને ખમાવીએ, સાહેલડી રે ! એ જિનશાસન રીત તો.' એની મતલબ એવી છે કે આપણ છદ્મસ્થ જીવોથી કંઈ ને કંઈ કસૂર થઈ જાય, તેથી સામા જીવોની ગમે તે કારણે લાગણી દુઃખાય તે આપણુ ફરજ છે કે તે વાતને ખ્યાલ કરી પોતાની થયેલી કસૂર કબૂલ કરી લઈ નમ્રતા દાખવી, મીઠા વચનથી પોતે