________________
[ ૮ ]
શ્રી કરવિજયજી રાજા પણ કેશી ગણધર મહારાજની અમૃત સમાન અત્યંત હિતકારી વાણું સાંભળીને, હલાહલ વિષ સમાન મિથ્યાત્વને ત્યાગ કરી શુદ્ધ તવશ્રદ્ધારૂપ સમકિત સહિત ગૃહસ્થ યોગ્ય શ્રાવકનાં બાર વ્રત પામ્યા અને તેને અત્યંત આદર સહિત આરાધીને પોતે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ સમકિતની ઉત્તમ કરશું કરીને હવે પછી ઉત્તમ માનવદેહ પામી એક્ષપદ પામશે. તેની વિસ્તારથી હકીકત “શ્રી રાયપણી ત્ર” પ્રમુખમાં જણાવેલી છે. ઘણું કરીને જીવ સુગુરુની ઉત્તમ સહાય વડે જ નિસ્તાર પામે છે, માટે સુગુરુનું આલંબન (આશ્રય) લેવાની પ્રથમ જરૂર છે.
વિનયગુણ એ એક અજબ વશીકરણ મંત્રરૂપ છે, તેથી બીજા તે શું? પણ પરમત્યાગી-નિસ્પૃહી મહાત્મા પુરુષો પણ વશ થઈ જાય છે, પરંતુ તે સુગુરુ પ્રત્યે આચરવાને વિનય સાચા દિલન-નિષ્કપટ ભાવનો જ હોવો જોઈએ. સુવિનીત શિષ્યએ સુગુરુને સર્વજ્ઞ ભગવાન સમાન જ લેખી તેમનો સર્વ પ્રકારે વિનય સાચવો. ખરેખરા વિનયને આત્મા સકળ કર્મ. મળથી મુક્ત થઈ શકે છે. ઉત્તમ પ્રકારે ગુરુ-વિનય સાચવવા ઉપર ઉપદેશમાળા પ્રમુખમાં શ્રી ગૌતમ ગણધર, મૃગાવતી, સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિ તેમજ પાંથક પ્રમુખ ઉત્તમ મનુષ્યનાં દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. સુવિનીત થવા માટે હરેક આત્માથી જને ઉક્ત દષ્ટાન્ત આદર્શરૂપ કરી રાખવાં.
| વિનયના પાંચ પ્રકાર પણ ખાસ લક્ષમાં રાખવા લાયક છે. ૧ બાહ્ય સેવા-ભક્તિ, ૨ હૃદયપ્રેમ–બહુમાન, ૩ ગુણસ્તુતિ, ૪ અવગુણ–આચ્છાદન, અને ૫ આશાતનાત્યાગ. વળી વિનય ગુણથી