________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
થાય તેા જરૂર તેનું સ્વરૂપ સદ્ગુરુ સમીપે જઇ વિનય સહિત જાણી લેવું જોઇએ.
66
,,
“
,,
પરમાર્થ સમજીને આત્માના કલ્યાણ માટે જો ધર્મકરણી કરીએ તે તેથી સરલતા સાથે અધિક હિત થઇ શકે છે. ઉપર જણાવેલાં દ્વાદશ વ્રતનું વિસ્તારથી વર્ણન શ્રાવકે ૫ત અથવા વ્રત ગાઇડ નામના પુસ્તકમાં અલાયદું આપવામાં આવ્યું છે. તેનુ લક્ષપૂર્વક અવલેાકન કરી, તેમાં રહી જતી શંકાનું સમાધાન ગુરુગમથી મેળવીને પ્રેમપૂર્વક અને પ્રમાદ રહિત યથાશક્તિ તે તે વ્રત સદ્ગુરુ પાસે અંગીકાર કરી પૂરતી કાળજીથી તેનુ પાલન કરવું ઉચિત છે. એમ કરવાથી અનુક્રમે સાધુ-ધર્મની પણ પ્રાપ્તિ થઇ શકે છે.
જૈન શાસ્ત્રોમાં સઘળા ત્રાનુ મૂળ શુદ્ધ શ્રદ્ધા અથવા સમકિત કહેલું છે. જેમ એકડા વગરનાં મિડા મિથ્યા છે અને એકડા સહિત કરેલાં સઘળાં મિડા સાર્થક થાય છે, તેમ સમિત વગરની કરણી મિથ્યા છે અને સમકિત સહિત કરેલી સઘળી કરણી સાર્થક થાય છે. સમકિતરુચિવત જીવા આવી રીતે પ્રતિજ્ઞા અંગીકાર કરીને તેને પ્રેમપૂર્વક પાળે છે. તે પ્રતિજ્ઞા નીચે પ્રમાણે છે.
“ રાગ-દ્વેષાદિક દેષ માત્રથી સર્વથા મુક્ત થયેલા અને અનંત જ્ઞાનાદિક ગુણૈાથી અલંકૃત થયેલા અરિહતભગવાન મારા દેવ છે. ઉપર વર્ણવેલાં પાંચ મહાવ્રતાને સદ્ગુરુ સમીપે અંગીકાર કરી, ક્ષમાદિક દશ પ્રકારની ઉત્તમ શિક્ષાને સદા ય સેવનારા, ભવ્ય જનાને તેમની ચેગ્યતા અનુસારે અમૃત ઉપદેશ આપનારા સુસાધુ મારા ગુરુ છે અને