________________
[ રર ]
શ્રી કરવિજયજી સમકિત પ્રમુખ ઉત્તમ ધર્મને લાયક બની, ગુરુની કૃપાથી આત્માને અત્યંત ઉપગારી ધર્મ અલ્પ પ્રયાસે પામી શકીશું.
જે ભાઈ–બહેને માર્ગાનુસારીપણાના ગુણેનું સારી રીતે પાલન કરે છે તે જલ્દી પવિત્ર ધર્મને પાળી શકે છે. તે ગુણામાં પ્રથમ ન્યાયનીતિથી પ્રમાણિકપણે વતીને દ્રવ્ય ઉપાર્જન કરવાનું કહેલું છે, તે સિવાય વિશેષે કરીને સુઘડતા રાખવી, સત્સંગ કરે, પરનિંદાથી નિવર્તવું, સારા ધર્મિષ્ટ પાડોશમાં રહેવું, નિર્ભય સ્થાનમાં વાસ કરો, માતાપિતાદિક વડીલ જનની આજ્ઞામાં રહેવું, આવકના પ્રમાણમાં જ ખર્ચ કરે, બુદ્ધિના આઠ ગુણ ધારવા (શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા, શાસ્ત્ર સાંભળવું, તેનો અર્થ સમજવો, સમજે અર્થ યાદ રાખ, તર્ક-વિતર્ક વડે ગુરુ પાસે શંકાનું સમાધાન કરી લેવું, એમ કરીને તત્ત્વજ્ઞાન એટલે સત્ય વાસ્તવિક પરમાર્થ યુક્ત જ્ઞાન મેળવવું,) અજીર્ણ એટલે પ્રથમ ખાધેલું પચ્યું ન હોય ત્યાં સુધી ભેજન નહિ કરવું, અકાળે ખાવુંપીવું નહિં, ધર્મ, અર્થ અને કામને પૂર્વાપર બાધા રહિતપણે-વિરોધ રહિત સેવવા, ગૃહસ્થ ગ્ય આગતા-સ્વાગતા સાચવવી, હઠ કદાગ્રહ રહિત વર્તવું, લેકવિરુદ્ધ તથા રાજ્યવિરુદ્ધ કર્તવ્ય તજવું, ગ્રહણ કરેલાં વ્રત-નિયમ દ્રઢ ટેકથી પાળવા, કામ-ક્રોધ-લોભ-મદ-માન અને હર્ષરૂપ અંતરંગ છે વેરીને જીતવા, તેમજ ઈદ્રિયોના વિષયસુખમાં નહિ મુંઝાતાં ઈન્દ્રિયને વશ કરવી–તેની શાસ્ત્રકારે ખાસ ભલામણ કરેલી છે.
અહીં જણાવેલા ઘણા ગુણોને મોટે ભાગે પ્રથમ જણાવેલા એકવીશ ગુણમાં સમાવેશ થઈ જાય છે. અહીં ટૂંકામાં