________________
[૨૪]
શ્રી કપૂરવિજયજી અને લાભાલાભને વિવેકથી વિચાર કરી લે એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. યથાશક્તિ શુભ વ્રત-નિયમ અંગીકાર કરી ટેકથી પાળવાં એ જ દેહ પામ્યાનું ફળ છે; વિવેકથી પાત્રસુપાત્રનું પિષણ કરવું એ જ લક્ષ્મી પામ્યાનું ફળ છે, એમ દિલમાં ખૂબ સમજી, સમય ઓળખી, સ્વકાર્ય સુધારી લે અને બની શકે તો બીજાને પણ ઉચિત સહાય આપતા રહો.
એ પવિત્ર ધર્મની સહાયથી જ વિક્રમાદિત્ય અને શાલિવાહન સુપ્રસિદ્ધ થયા. શાલિવાહનને ધર્મની કૃપાથી જ માટીના બનાવેલ મનુષ્ય, હાથી અને ઘેડાં સંગ્રામસમયે સાચા–સચેતન થઈ કામ લાગ્યા, જેથી પિતાની આણદાણ સર્વત્ર પ્રસરાવી. એ પૂર્વે કરેલાં ધર્મ-પુન્યને જ પ્રભાવ સમજો.
૪ સભ્યમ્ જ્ઞાન (અભ્યાસથી જ સાચી સમજ આવે છે. ) તન મન ઠકુરાઈ, સર્વ એ જીવને છે, પણ ઇકજ દુહિલું જ્ઞાન સંસારમાં છે; ભવજળનિધિ તારે, સર્વ જે દુ:ખ વારે, નિજ પરહિત હેતે, જ્ઞાન તે કાં ન ધારે ? જવ ઋવિ ઇક ગાથા, બોધથી ભય નિવાર્યો, ઇક પદથી ચિલાતિ-પુત્ર સંસાર વાર્યો; શ્રત ભણત સુજ્ઞાની, માસતુસાદિ થાવે, શ્રુતથી અભય હાથે, રોહિણી ચેર નાવે.
જ્ઞાન એ અપૂર્વ રસાયણ, અમૃત અને ઐશ્વર્ય છે, એમ સમર્થ શાસ્ત્રકારે કહે છે.”