________________
[ ૩૨ ]
શ્રી કપૂરવિજયજી સજ્જનોનું દિલ સદા ય દયાદ્ર–પારકાં દુઃખ દેખી પીગળી જાય એવું હોય છે. દુ:ખી જનનાં દુઃખ નિવારવા સજજને સદા ય બનતી સહાય આપવા તૈયાર રહે છે. જેમાં તેમના દુઃખને અંત આવે તેમ જેવા અને તે માટે બનતું કરવા તેઓ ઉત્કંઠિત હોય છે. તેમની વાણુંમાં એવી તે મીઠાશ અને હિતબુદ્ધિ હોય છે કે એથી અન્ય જીવેનું અચૂક હિત થાય છે, તેમ જ તેઓ રાજી રાજી થઈ જાય છે. તેઓ સમુદ્રની જેવા ગંભીર આશયવાળા હોય છે, જેથી તેઓ અનેક ગુણરત્નને અંતરમાં ધારણ કરતાં છતાં છલકાઈ જતા નથી. તેઓ એવી ઉત્તમ મર્યાદા જાળવે છે કે જેથી બીજા ચકિત થઈ જાય છે અને તેમના જેવી ઉત્તમ મર્યાદા–આચારવિચાર પાળવા સહેજે લલચાય છે. વળી સજજન પુરુષો સદા ય મેરુપર્વત જેવું નિશ્ચળ હૈયે ધારણ કરી રહે છે, એટલે તેઓ ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ સંગોમાં સમભાવ ધારી શકે છે. (સમવિષમ સમયે હર્ષ–ખેદ નહિં કરતાં તેમાં સમચિત્ત રહે છે). વિપત્તિ સમયે તેઓ દીનતા દાખવતા નથી. સજજન પુરુષની વૃત્તિ સદા ય સિંહની જેવી પરાક્રમવાળી હોય છે. તેઓ દરેક પ્રસંગે ડહાપણથી કામ લે છે. સજજનતાની વાતો ઘણું કરે છે, તેમાં કેટલાકને પ્રીતિ પણ હોય છે, પરંતુ સજજન પુરુ
ના પવિત્ર માર્ગે ચાલવાનું બહુ જ થોડાનાં ભાગ્યમાં હોય છે. સજજનતાથી વિરુદ્ધ વર્તન તે જ દુર્જનતા છે. તેવી દુર્જ. નતા દાખવનાર દુર્જને તેમના જાતિસ્વભાવને લઈ સજજન પુરુષને સંતાપે પણ છે, સજજન પુરુષમાં જે ઉત્તમ અનુકરણીય ગુણ હોય છે તે તેમને રુચતા નથી, તેથી કઈક જાતના દોષ દઈ દુર્જને સજનેને વારંવાર દુહવ્યા કરે છે પણ