________________
[૪૮]
શ્રી કપૂરવિજયજી હેતુથી પંચસાક્ષિક પ્રતિજ્ઞા કરવા-કરાવવાને વ્યવહાર પ્રચલિત છે. લોકિકમાં પણ મહત્ત્વના કામ પંચસાક્ષિક કરવાં પડે છે, તે લેકોત્તર શુભ કાર્યનું કહેવું જ શું? તેમાં તો “૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ સાધુ, ૪ શાસનદેવતા અને ૫ પ્રતિજ્ઞા કરાવનાર આત્મા ” એ પંચસાક્ષિક પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અને પ્રતિજ્ઞા કરનારને સાથે ગણતા ષ (છ) સાક્ષિક પ્રતિજ્ઞા થાય છે. શાસ્ત્રવચનને માન આપી ઉક્ત સાક્ષીપૂર્વક જે શુભ પ્રતિજ્ઞા કરવામાં આવે છે તે પાળવામાં ઘણી સરળતા થઈ જાય છે અને જે કોઈ આપઈચ્છાથી કેવળ આત્મસાક્ષિક જ પ્રતિજ્ઞા કરે છે તેને જ્યારે કયેગે પ્રતિજ્ઞાથી ચૂકી જવાનું આવે છે ત્યારે તેને ઉદ્ધરનાર એટલે એગ્ય ટેકો આપી પાછો પ્રતિજ્ઞામાં જોડનાર કે સ્થિર કરનાર ભાગ્યે જ મળે છે. તેથી કઈક જીવ ગબડી પડે છે, એ દોષ વ્યવહાર માર્ગનો અનાદર–ઉપેક્ષા કરવાથી પ્રાપ્ત થાય છે, તેથી સુજ્ઞજનો વ્યવહાર માર્ગને અનાદર કરતા-કરાવતા કે અનુમોદતા નથી; કેમકે એમ કરતાં તે વ્યવહારને લેપ થઈ જાય છે અને એથી સર્વજ્ઞ–આજ્ઞાની પણ વિરાધના કરી કહેવાય છે. એમ હોવાથી જ જે કે સહુ આત્માઓ સત્તાએ સમાન છે તે પણ ગુરુશિષ્યાદિકને તેમ જ વ્રત પચ્ચખાણાદિક લેવાદેવાને પણ વ્યવહાર પ્રવર્તે છે અને એ રીતે વ્યવહારધર્મનું સરલપણે સેવન કરતાં જ આત્મા અનુક્રમે અનાદિ વિષયવાસનાને તેમ જ મિથ્યાત્વ કષાયાદિક દેષજાળને છેદી શુદ્ધ સ્ફટિક સમાન નિજ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકે છે. માટે જ કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા, છેદે સે મતિહીન, કપટ ક્રિયા બળ જગ ઠગે, સે ભી ભવજલ મીન.”
સમાધિસંગે.