________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી કેટલાએક શરૂઆતમાં શુભ વૈરાગ્યાદિકના બળથી સિંહની પેઠે વ્રત-નિયમ આદરે છે પણ પાછળથી વિષયસુખની લાલચમાં લપેટાઈને અથવા કેધાદિક કષાયને વશ થઈને આદરેલાં વ્રતનિયમ પાળવામાં શિયાળની પેઠે કેવળ શિથિલ પરિણામી બની જાય છે. ત્યારે કેટલાએક મંદ પરિણામી જો પ્રથમથી જ શિયાળની પેરે વ્રત-નિયમ આદરીને છેવટ સુધી તેવી જ મંદતા અથવા શિથિલતા ધારે છે. છેલ્લે પ્રકાર બીલકુલ આદરવા ગ્ય નથી. પહેલે અને બીજો પ્રકાર આદરવા લાયક છે, અને ત્રીજો પ્રકાર પણ જેઓ મંદ પરિણામથી વ્રત આદરતા જ નથી તે કરતાં ઘણું જ ચઢીઆતો છે, કેમકે શરૂઆતમાં શુભ વૈરાગ્ય યોગે વ્રત-નિયમ શૂરવીરપણે આદરતાં તે ઘણા એક કર્મનો ક્ષય કરી શકે છે. આ બધી વાત લક્ષમાં લઈ સર્વ સાધુ તેમ જ શ્રાવક જનોએ નિજ નિજ અધિકાર ઉચિત વ્રત–નિયમ સિંહની પેઠે આદરી તેનો સિંહની પેઠે શૂરવીરપણે નિર્વાહ કરવા લક્ષ રાખવું.
પ્રતિજ્ઞા ઘણા પ્રકારની હોય છે, તેમ ઘણી રીતે તે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. કેઈ પણ કાર્ય મનથી, વચનથી કે કાયાથી કરવાની કબુલાત આપવી, સંકલ્પ કરવો, નિશ્ચય બાંધવે, એ તે કાર્ય સંબંધી પ્રતિજ્ઞા કરી કહેવાય છે. પ્રતિજ્ઞા કરી એટલે તે કાર્ય કરવું જ. પછી તે શરતથી જેટલા સમયે (કાળમર્યાદાથી) જેવી રીતે કરવું કબુલ્યું હોય તેમ તે કાર્ય કરવું જ જોઈએ અને એથી જ કોઈ પણ કાર્ય કરવાની કબૂલાત આપ્યા પહેલાં આ કાર્ય કેવું છે ? કરવું શકય છે કે અશકય છે ? વળી આસપાસના સ્થિતિ અંગે કેવા છે? અનુકૂળ કે પ્રતિકૂળ ? એ બધી વાત લક્ષમાં રાખવી જોઈએ. દીર્ઘદશી