________________
લેખ સગ્રહ : ૨ :
[ ૩૯ ]
ન્યાય—નીતિ–પ્રમાણિકતા એ સર્વે એકા વાચક પર્યાય વચના ગણાય છે, અને ન્યાય—નીતિનું અવલંબન કરીને જે વ્યવસાય કરવા તે ન્યાયાચરણ કહેવાય છે. દયાળુ દિલવાળા બુદ્ધિશાળી હાય તે ન્યાયાચરણ કરી શકે છે. કઠાર દિલવાળાથી બીજાને યથાર્થ ઇન્સાફ આપી શકાતા નથી, તેથી ઠીક જ કહ્યું છે કે ન્યાય સાથે દયાનું મિશ્રણ થવું જ જોઇએ. સમર્થ શાસ્ત્રકારો પણ કહે છે કે—“ સામન: પ્રતિજાનિ જેવાં ન સમાચરેત્ । '' અર્થાત્ જે કઈ આચરણુ આપણને પેાતાને પણ વિવેક–બુદ્ધિથી વિચારતાં પ્રતિકૂલ-વિરુદ્ધ જણાતુ– સમજાતું હાય તેવું આચરણ-વર્તન આપણે બીજા પ્રત્યે અજમાવવુ નહિ; કેમકે સુખ-દુઃખની, માન-અપમાનની, યાવત જીવિત-મરણની લાગણી સહુને સમાન હોય છે. જ્યારે આમ છે ત્યારે જે આપણને પેાતાને જ ન ગમે-પ્રતિકૂળ લાગે તે બીજાને પણ કેમ જ ગમે કે અનુકૂળ પડે? તેના વિચાર પ્રથમ કરવા જોઇએ. એથી જ બીજા પણ દયાળુ લેકે આ વાતનું સમર્થન કરતાં કહે છે કે—‹ Do unto others as you would be done by. એની મતલબ એવી છે કે ખીજા પાસેથી જેવા અદ્લ ન્યાયની તમે ઇચ્છા રાખતા હૈા તેવા જ અદ્લ ન્યાય તમે અન્યને આપે-આપતા રહે!. તમને કાઇ અધિકારી અન્યાય આપે તે તમને રુચે ખરા ? નહિ જ રુચે. તા પછી તમે અન્યને ગેરઇન્સાફ આપે તે તેને પણ કેમ જ રુચે ? ન જ રુચે. બીજાના અન્યાય આચરણથી જેમ તમારી લાગણી દુભાય તેમ તમારાં અન્યાયાચરણથી સામાની લાગણી પણ દુભાયા વગર કેમ જ રહે ? આ વાતનેા ખ્યાલ દયાળુ જના દિલમાં લાવી પરને પ્રતિકૂળ થઇ પડે એવા અન્યાયાચ
,,