________________
લેખ સંગ્રહ : ૨ :
[ 1 ] ન્યાયતંતમાં રામચન્દ્ર અને યુધિષ્ઠિરાદિક મહાપુરુષોના તેમજ સીતા તથા સુભદ્રાદિક મહાસતીઓનાં ચરિત્રે સુપ્રસિદ્ધ છે. જુઓ ! ન્યાયમૂર્તિ એવા રામચન્દ્રજીની સેવામાં કપિકુળગણ અતિ નમ્રતા સહિત હાજર થઈ રહ્યા અને અન્યાયકારી રાવણને તેને સગે સહાદર-બંધુ વિભીષણ પણ તજીને ચાલ્યા ગયે અને ન્યાયવંત રામચંદ્રજીને જ આશ્રય લીધે. આથી સ્પષ્ટ થાય છે કે સત્ય-ન્યાય માર્ગને મક્કમપણે સેવનારને શત્રુ પણ મિત્ર થઈ જાય છે, ત્યારે જાણું જોઈને અન્યાય આચરનારને તેના બંધુ-મિત્ર પણ છોડીને ચાલ્યા જાય છે. આ તે પ્રગટ ન્યાય-અન્યાયનું ઐહિકઆ લેક સંબંધી કિંચિત્ માત્ર ફળ કહ્યું. પરલોકમાં તો એથી અત્યંતગણું ફળ સ્વર્ગ-નરકાદિકમાં ભેગવવું પડે છે. આટલા પ્રેરક શબ્દ પણ અન્યાયાચરણ તજીને ન્યાયાચરણ આદરવા સુજ્ઞ જેને માટે તે બસ કહેવાય.
ન્યાયવંતની જગમાં જશ-કીર્તિ વધે છે અને જયકમળા તેને વરે છે ત્યારે તેથી વિરુદ્ધ વર્તન સેવનાર સર્વ પ્રકારે હાનિ પામે છે, પરાભવ પામે છે અને અત્યંત દુઃખી થઈ જાય છે.
વળી જુઓ ! ન્યાય–નીતિ અને સત્યધર્મના પસાયે પાંચે પાંડવે યુદ્ધમાં જય પામ્યા, રાજ્યલીલા પામ્યા અને છેવટે સકળ કર્મનો અંત કરી તેઓ અક્ષય-અવ્યાબાધ એવું મોક્ષસુખ પામ્યા, ત્યારે અન્યાય-અનીતિ અને અધર્મના માગે જ ચાલનાર દુર્યોધન પ્રમુખ કાર રણસંગ્રામમાં પરાભવ પામીને ભૂંડા હાલે મૃત્યુ પામ્યા અને મરીને મહાદુઃખદાયી ગતિ પામ્યા, એમ સમજી સહુ સુજ્ઞ ભાઈબહેને એ