________________
લેખ સંગ્રહ : ૨ :
ઇમ લયિ વડાળ્યુ, કીજિયે સગ રગે, ગજ શિર ચડી બેઠી, જ્યે અજા સિહુ સંગે.
[ ૩૫ ]
૧૪
“ આપ ગુણી ને વળી ગુણરાગી, જગમાં તેહની કીતિ
ગાજી; લાલન કી. ’ ( શ્રી યશોવિજયજી ) જેએનામાં ગુણુરાગીપણાના અને ગુણુગ્રાહીપણાનેા મહાન્ સદ્ગુણ વત છે, તેની યશ-કીર્ત્તિ-પ્રતિષ્ઠામાં ઘણા વધારા થાય છે. એ મહાન્ સદ્ગુણૢ તેમનામાં જ આવી શકે છે કે જેએ મદ-મત્સર-દ્વેષ-ઇર્ષ્યા-અદેખાઇ નામના મહાવિકારથી વેગળા હેાય છે. જેમનું અંતર દ્વેષરૂપ અગ્નિથી સદા ય પ્રજ્વલિત રહે છે, તેમનામાં ઉપરના સદ્ગુણુની ચેાગ્યતા જ હાતી નથી, ક્રોધ અને અભિમાન એ દ્વેષના જ અંગભૂત પરિણામ છે. તે જ્યાં સુધી ચેતનજીમાં વાસ કરે છે ત્યાં સુધી ચેતનજીથી સામામાં ગમે એવા ઉત્તમ સદ્ગુણા હાય તે પણ તે ગ્રહણ કરીને આદરી શકાતા નથી; એટલું જ નહિ, પણ ત્યાં સુધી ચેતનજીને એ સદ્ગુણ સંબંધી વાત પણ રુચતી નથી. એ તા જ્યારે ક્ષમા-સમતાદિક પ્રધાન સત્સગયેાગે દ્વેષાગ્નિ અથવા એના અંગભૂત ક્રોધાદિક પરિણામ શમી જાય છે અને ચેતનજીમાં શાન્તિનુ સામ્રાજ્ય સ્થપાતું જાય છે ત્યારે અને ત્યારે જ સદ્ગુણેાની વાત રુચે છે.
સદ્ગુણ પ્રત્યે રાખુદ્ધિ પ્રગટે છે અને સદ્ગુણેાને ગ્રહણ કરી ચેતનજી પોતે પણ સદ્ગુણી અને છે. હુવે જ્યારે ચેતનજી પાતે સદ્ગુણી, સદ્ગુણરાગી અને સદ્ગુણગ્રાહી અને છે ત્યારે તા તે દેવની પેઠે પૂજાય છે, મનાય છે અને તેનાં વચન પણુ બહુમાન્ય થવા લાગે છે.