________________
[ ૩૪ ]
શ્રી કપૂરવજયજી કસોટી–પરીક્ષા કટોકટીના વખતે જ થાય છે. ગમે તેટલું કષ્ટ આવી પડે તો પણ તેવા સજજને પોતાનો સન્માર્ગ લાપતા નથી. વળી કહ્યું છે કે
સજજનોને કોધ-કષાય હાય નહિ, કદાચ બીજાના ભલા માટે તેવો દેખાવ કરે પડે તો તે લાંબો વખત રહે નહિ અને કદી લાંબે વખત રાખવાની જરૂર જ પડે તો તેનું માઠું ફળ થવા પામે નહિ.”
આ વાત બહુ અજબ અને વખાણવા લાયક જ છે. સજજનનાં વચન અમૃત જેવાં મીઠાં અને હિતકારી હોય છે, તેથી તે સહુને પ્રિય–આદેય થઈ પડે છે. આપણે પણ આપણા પિતાના, આપણા બાળબચચાનાં, કુટુંબના, જ્ઞાતિના, દેશના તેમજ સમાજના ભલાને માટે અનિષ્ટ-દુર્જનતા દૂર કરી, શ્રેષ્ઠ સજનતા આદરવા સદા ય ઉદ્યમી થવું જોઈએ.
૭ ગુણરાગી ગુરાગી અને ગુણગ્રાહી થવાની જરૂર અને એથી ઉપજતા
અનિવાર્ય ફાયદા ગુણ ગ્રહી ગુણ જેમાં, તે બહુમાન પાવે, નર સુરભિ ગુણે ક્યું, ફૂલ શિશે ચઢાવે; ગુણ કરી બહુમાને, લોક ક્કે ચંદ્રમાને, અતિ કૃશ જિમ માને, પૂર્ણને હું ન માને, ૧૩ મલયગિરિ કરે છે, જબુ લિંબાદિ સેહે, મલય જ તરુ સંગે, ચંદના તઈ હેહે;