________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭ ]
માત્રથી મરણના ભય નિવાર્યાં, એ વાત શાસ્ત્રપ્રસિદ્ધ છે. અને ચિલાતિપુત્રે ઉપશમ, વિવેક અને સવરરૂપ પદના પરિચય માત્રથી ભવભ્રમણ નિવાર્યુ. જ્યારે તેણે મહાત્મામુનિ પાસેથી એ પદનું શ્રવણ કર્યું. ત્યારે તે પદના રહસ્યાર્થ જાણવાની ઇચ્છા થઇ. તત્સંબ ંધી મનમાં ઊંડા આલેાચ (વિચાર) કરતાં તેને તેના યથાર્થ ભાવ સૂઝ્યો; એટલે તેણે ક્રોધાદિક કષાયને સમાવી દીધા અને હિતાહિત, કૃત્યાકૃત્ય, યાવત્ ત્યાજ્યાત્યાયના નિર્ણય કરી પેાતાના એક હાથમાં રાખેલુ ખડ્ગ અને બીજા હાથમાં રહેલું સુસીમા કન્યાનું મસ્તક તજી દીધું. પછી પાતે એક મહાત્મા મુનિની પેઠે કાયાત્સર્ગ ધ્યાનમાં નિશ્ચળપણે ઊભા રહ્યા. ત્યાં વજ્ર જેવા તીક્ષ્ણ મુખથી ડંખ મારતી અનેક કીડીએ તેને વળગી, જેથી તેની કાયા ચાલણી જેવી થઇ ગઇ તા પણ પાતે નિશ્ચળ ધ્યાનથી ડગ્યા નહિ અને અઢી દિવસમાં આ ક્ષણભંગુર દેહને ત્યાગ કરી પોતે સદ્ગતિના ભાગી થયા, એ સમ્યજ્ઞાનના પ્રભાવ સમજવે.
સમ્યગજ્ઞાનના પ્રભાવથી જીવતું કેટલું બધું શ્રેય થાય છે ? તે શ્રુતજ્ઞાનના ‘મા રૂષ મા તુષ” એવા એકાદ અવિકારી પદના પ્રભાવથી માષતુષાદિક કઇક જીવા સુજ્ઞાની થઇ પરમ કલ્યાણ સાધી શકયા છે, તેવી જ રીતે શ્રુતજ્ઞાનના જે થાડાક એલ રાહિણીયા ચેારના કાનમાં પડી ગયા હતા તેના પ્રભાવથી તે અભયકુમાર જેવા બુદ્ધિવંતના હાથમાં આવી શકયા ન હતા, અર્થાત્ પ્રભુ શ્રીવીરના મુખથી નીકળેલાં ઘેાડાંક વચન તેના કાનમાં વગર ઇચ્છાએ પડ્યાં હતાં, તેા પણ તેથી તે મચી જવા પામ્યા હતા. તેા પછી જે ભવ્યાત્માએ ભાવ