________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૯ ] જિનેશ્વર ભગવાને ભાખેલાં જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવ તત્વ મારે પ્રમાણ છે. આવી રીતે શાસ્ત્રોક્ત સમકિત જીવતાં સુધી પાળવા હું બંધાઉં છું.” સમકિતવડે ચેડા વખતમાં ભવભ્રમણ મટી જાય છે, તેથી તેને પ્રભાવ અચિંત્ય છે. સમકિતવંતનું મૂળ લક્ષ આત્મકલ્યાણ સાધવામાં હોય છે, પરંતુ તેને કુટુંબપ્રતિપાલન કરવા માટે વ્યવહારિક કામ કરવા પડે છે તે જેમ બને તેમ અંતરથી ન્યારો રહીને જ કરે છે. એ પ્રભાવ સમકિતરત્નને જ સમજ.
સમકિત સંબંધી સડસઠ બાલનું સવિસ્તર વર્ણન “શ્રદ્ધાશુદ્ધિ ઉપાય” ગ્રંથમાં અલાયદું આપેલું છે. સમકિત (તશ્રદ્ધા), શ્રાવકના વ્રત કે સાધુના મહાવ્રત ચેગ્યતા વગર પ્રાપ્ત થઈ શકતા નથી. જેમને સમકિત પ્રમુખ પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા હોય તેમને તેવી યેગ્યતા મેળવવાની પૂરી જરૂર છે. સામાન્ય રીતે ધર્મરત્નની યોગ્યતા મેળવવા ઈચ્છતા ભાઈ-બહેનોએ નીચે જણાવેલા એકવીશ ગુણોને અભ્યાસ કરવાની બહુ જ જરૂર છે. તેની યાદી આ પ્રમાણે છે – ૧ ગંભીરતા અથવા ઉદારદિલ. ૨ સુંદર નરેગી શરીર. ૩ શાન્ત પ્રકૃતિ-સ્વભાવ. કલેકપ્રિયતા (થાય તેવું વર્તન). ૫ હૃદયની કમળતા-આદ્રતા. ૬ પાપને, પરભવને તથા વડીલને ડર. ૭ નિષ્કપટપણે સરલ વર્તન.