________________
[૧૬]
શ્રી કર્ખરવિજયજી ભાવનાથી જીવ વિષયી બની જાય છે અને શાંતરસ(વૈરાગ્ય)ની ભાવનાથી શાન્ત–વૈરાગ્યમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે
નારીચિત્ર દેખતાં વિકાર વેદના, જિનંદ ચંદ દેખતાં શાંતિ પાવના.” એ વાક્ય બહુ મનન કરવા ગ્ય છે અને તેનું મનન કરીને વિષયવાસના તજી વૈરાગ્યવાસના આદરવા ચોગ્ય છે. ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદની સમજ સાથે વારંવાર ભાવના કરવાથી શિલાતિપુત્ર જેવો નિર્દય જીવ પણ સદ્ગતિ પામેલે છે, એમ વિચારી આપણે સહુએ શુભ ભાવના સેવવી જ ઉચિત છે.
- સાધુ ધર્મ સાધુ ધર્મ તે રાત્રિભેજનના સર્વથા ત્યાગ સહિત સંપૂર્ણ અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અકિં. ચનતા વેગે પાંચ મહાવતે રૂપ બતાવ્યું છે. કોઈ પણ ત્રસ કે સ્થાવર ( હાલતા-ચાલતા કે સ્થિર રહેનારા ) જીવને મનથી, વચનથી કે કાયાથી હણ નહિં, હવે નહિં, તેમજ હણનારને સારે જાણ નહિં પણ સહુ જીવને આત્મસમાન જાણ તેની સદા રક્ષા કરવી એ અહિંસા મહાવ્રત કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, ભય કે હાસ્યથી ઉપર મુજબ લગારે અસત્ય ન બોલવું, પણ શાસ્ત્ર અનુસારે રાગદ્વેષ રહિત જરૂરપૂરતું પ્રિય અને હિત વચન જ વરવું તેને શાસ્ત્રકાર બીજું સત્ય નામનું મહાવ્રત કહે છે. દેવ, ગુરુ કે શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ વસ્તુ તેના સ્વામીની રજા સિવાય રાગ-દ્વેષથી સર્વથા ન જ લેવી તે ત્રીજું અચૈર્ય