________________
[ ૧૪]
શ્રી કરવિજયજી દાન દેતા અચકાવું નહિ તેમજ ઉદારતાથી દાન દીધા બાદ મનમાં લગારે પશ્ચાત્તાપ કરવો નહિ, પરંતુ એમ વિચારવું કે મને આવું સુપાત્ર મળ્યું તેથી મારું અહેભાગ્ય માનું છું. ફરી એ સુપાત્રને વેગ ક્યારે મળશે?
શુદ્ધ-નિર્મળ શીલ પાળવું એ જ ખરું ભૂષણ છે અને શીલ વગરનું જીવિત પશુની જેવું નકામું છે. શુદ્ધ શીલવડે પિતાના શુભ આચારવિચાર દીપે છે. શુદ્ધ શીલને પ્રભાવ અચિન્ય ચિંતામણિ રત્ન સમાન છે, એમ સમજી ઉત્તમ સ્ત્રીપુરુષે શીલ-રત્નને પોતાના પ્રાણથી અધિક સાચવે છે, ગફલતથી શીલ રત્નને ગુમાવી દેતા નથી. કોઈ પણ લુચચાલફંગા(હલકટ કામ કરનારા)ની સંગતથી દૂર જ રહે છે. કષ્ટ વખતે પોતાના શીલરત્નનું રક્ષણ કરવા વધારે કાળજી રાખે છે. ખરી કસોટી તેમની ત્યાં જ થાય છે. ભરફેસરની સઝાયમાં વર્ણવેલા અનેક સતા અને સતીએ પિતાના શીલરત્નથી પિતાનાં નામ અમર કરી ગયા છે. તેમને ઉત્તમ યશ અદ્યાપિ પર્યન્ત ગવાય છે. આપણે પણ પવિત્ર શીલનો અદ્ભુત પ્રભાવ સમજીને નિર્મળ શીલ પાળવા સદા ય સાવધાન રહેવું જોઈએ.
જે તે ઠેકાણે ભટકતા મનને સમજાવી કબજે રાખવાથી અને દેહનું દમન કરવાથી તપને લાભ મળી શકે છે. જે ભવિજને પિતાની છતી શક્તિને પવ્યા વગર તેને સારો ઉપગ કરી લે છે, તેમને પરભવમાં પરાધીનપણાના દુ:ખ ભેગવવાં પડતાં નથી, પરંતુ જે પિતાની છતી શક્તિનો સદુપગ કરતા નથી, કેવળ પ્રમાદમાં જ પોતાને અમૂલ્ય વખત વિતાવે છે તે બાપડાને પરભવમાં પરાધીનપણે બહુ બહુ