________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩ ]
પણ દ્વેષભાવ નહિ રાખતાં તેનાથી અલગ રહેવુ, તેની સાથે સ્નેહ પણ કરવા નહિ, તેને જ્ઞાની પુરુષો માધ્યસ્થ ભાવના કહે છે. દ્વેષ કરવાથી તેવા અઘાર કર્મ કરનારા સુધરતા નથી, એટલુ જ નહિં પણ કલેશ કરવાથી આપણુ તા અવશ્ય ખગડે છે અને તેની સાથે સ્નેહ-સંબધ કરવાથી તેમના કુકર્મને પુષ્ટિ મળે છે. વળી તેના પાપકર્મને અનુમેાદન આપવા(મળવા)થી આપણે પણ પાપના ભાગી થઇએ છીએ, માટે તેમનાથી અલગ રહેવામાં જ એકાન્ત હિત છે.
ઉપર વણુ વેલા દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મમાં ભાવધર્મ મુખ્ય છે. ભાવવડે જ દીધેલુ દાન, પાળેલુ શીલ અને કરેલા તપ લેખે થાય છે. ભાવ વગરનાં દાન, શીલ અને તપ લેખે થતા નથી. અલૂણાં ધાન્ય ( ભેાજન )ની જેમ ભાવ વગરની કરણી પીકી લાગે છે અને ભાવ સહિત કરવામાં આવતી સઘળી શુભ કરણી બહુ લહેજત આપે છે. તે માટે શાસ્ત્રમાં ભાવધર્મને સહુ કરતાં વધારે વખાણ્યા છે. તેથી આપણે પણ ભાવ સહિત જ શુભ કરણી કરવી. દાનથી દારિદ્ર દૂર થાય છે, શીલથી સાભાગ્ય વધે છે, તપથી કને ક્ષય થાય છે અને ભાવથી ભવનેા અંત થઇ જાય છે.
ભાવ સહિત–ઉલ્લાસથી સુપાત્ર-સાધુને દોષ રહિત અન્નાક્રિકનું દાન દેવાવડે શાલિભદ્રની પેઠે અન્ય ભવમાં અનલ ઋદ્ધિ મળે છે અને અનુક્રમે મેક્ષપદની પ્રાપ્તિ થઇ શકે છે; કેમકે તેવા સુપાત્ર દાનથી સાધુના જ્ઞાન, દર્શન અને ચારિત્રને પુષ્ટિ મળે છે અને તેનું અનુમાદન કરવાથી આપણામાં પણુ તેવા ઉત્તમ ગુણેાની ચેાગ્યતા આવે છે. વિવેકથી દાન દેવું,