________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૧ ] લુપી થઈ ગમે તે રસસવાળી વસ્તુ ગમે તેટલી નહિં ખાતાં પ્રમાણમાં જ તેનું સેવન કરવું, ૫ શરીરને સારી રીતે કરતા રહેવું, વિનાકારણ તેનું હદ બહાર લાલનપાલન ન કરવું, અને ૬ નકામી દોડધામ તજી સ્થિર આસન સેવવું—એવી રીતે બાહ્ય તપ છ પ્રકારને કહ્યો છે.
બીજે અત્યંતર તપ પણ છ પ્રકાર છે.–૧ જાણતાં કે અજાણતાં કરેલી ભૂલ ગુરુમહારાજ પાસે કપટ રહિત જાહેર કરી તે બદલ ગુરુએ આપેલી વ્યાજબી શિક્ષા માન્ય રાખીને પિતાની ભૂલ સુધારી લેવી, તેમજ તેવી ભૂલ વારંવાર નહિ કરવા પૂરતું લક્ષ રાખતાં રહેવું, ૨ આપણાં વડીલ-માતા, પિતા, વિદ્યાગુરુ તેમજ ધર્મગુરુ સાથે અતિ નમ્રતાથી આદર--મર્યાદા રાખી વર્તવું. ૩ બાળ, ગ્લાન (રોગી), વૃદ્ધ અને તપસ્વી સાધુ, આચાર્ય, ઉપાધ્યાય તથા સંઘ-સાધમી ભાઈબહેનની યથાચિત સેવા-ભક્તિ બજાવવી. ૪ આત્મકલ્યાણાર્થે ધર્મ–શાસ્ત્રનું પઠન પાઠન કરવું, પ સ્થિર ચિત્તથી અરિહંતાદિક નવપદના ઉત્તમ ગુણો વિચારવા અને તેવા શ્રેષ્ઠ ગુણો આપણામાં કેમ આવે ? એવી ધારણા–ભાવના કરવી અને ૬ આપણું દેહ ઉપરની મમતા તજીને પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન થવું. આવી રીતે વર્ણવેલા અત્યંતર તપને પુષ્ટિ મળે તેવી રીતે જ પ્રથમ વર્ણવેલ બાહ્ય તપ ભાઈબહેનેએ અતિ આદર સહિત સેવ હિતકારી છે
બાહ્ય તપથી અનેક ફાયદા થાય છે. પ્રથમ તે શરીરશુદ્ધિ થાય છે, અજીર્ણાદિક દેષ દૂર થઈ જાય છે, એટલે શરીર સમધાત બન્યું રહે છે–નિરોગી રહે છે, તેથી મન