________________
[ ૧૦ ]
શ્રી કરવિજયજી ભાટ-ચારણાદિકને દેવું તે કીર્તિદાન અને સ્વજન કુટુંબી પ્રમુખને અવસરે આપવું તે ઉચિતદાન કહેવાય છે.
શીલ નામ સદાચારનું છે. સદાચારને સારી રીતે સદા સેવનાર સુશીલ કહેવાય છે. પિતાની જ સ્ત્રીમાં સંતોષ રાખી, પરાઈ સ્ત્રી વેશ્યા પ્રમુખ સાથે ખોટો વ્યવહાર ન જોડવો તે પણ શીલ જ કહેવાય છે. સમાજ પામીને અધિક સંતોષવડે પિતાની કે પરાઈ કોઈ પણ સ્ત્રી સાથે વિષયક્રીડા ન જ કરવી તે શીલ અતિ ઉત્તમ છે. શીલવ્રતને શુદ્ધ મન, વચન અને કાયાથી પાળનાર ઘણું રીતે સુખી થાય છે. શીલવત સારી રીતે પાળનારની કાયા પવિત્ર અને નિરોગી રહે છે. પવિત્ર શીલવંત સ્ત્રીપુરુષને કવચિત કષ્ટ વખતે દેવ પણ સહાયભૂત થાય છે. ઉત્તમ પ્રકારનું શીલ પાળવું એ સ્ત્રીપુરુષોને શ્રેષ્ઠ શણગાર (ભારૂપ) છે. સુશીલ સ્ત્રીપુરુષે જ્યાં ત્યાં યશકીર્તિ પામે છે. શીલ વગરના સ્ત્રીપુરુષ આવળના ફૂલ જેવાં ફુટડાં હોય તો પણ તે જ્યાં ત્યાં તિરસ્કાર પામે છે, એમ સમજી સહુ કેઈએ શીલરૂપ શણગાર સજવાની ભારે જરૂર છે.
જેમ અગ્નિવડે સુવર્ણ શુદ્ધ થઈ શકે છે–તેને લાગેલ બધે મેલ બળી જાય છે તેમ તપવડે આત્મા સાથે અનાદિ કાળથી લાગી રહેલા કર્મ—મળ બળી જવાથી આત્મા શુદ્ધ-નિર્મળ થઈ શકે છે. તે તપ બે પ્રકારને કહે છેઃ બાહ્ય તપ અને અત્યંતર તપ, તેમાં બાહ્ય તપ છ પ્રકારને કહ્યો છે.–
૧ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ કરવા, ૨ જરૂર કરતાં ઓછું-અપ ભેજન કરવું, ૩ જે તે ચીજે મરજી મુજબ નહિ ખાતાં ડી–જરૂર જેટલી ચીજથી જ ચલાવી લેવું, ૪ રસલે