________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૯ ] સવિદ્યા પ્રાપ્ત થતાં અનુક્રમે સમકિત (નિર્મળ શ્રદ્ધા) અને ચારિત્ર(નિર્દોષ વર્તન)વડે અવિચળ મેક્ષ પદવીની પ્રાપ્તિ થઈ શકે છે.
૩ ધર્મતત્ત્વ. જળનિધિ જળવળ, ચન્દ્રથી જેમ વધે, સકળ વિભવ લીલા, ધર્મથી તેમ સાધે; મનુજ જનમકેરે, સાર તે ધર્મ જાણી, ભજ ભજ ભવિ ! ભાવે, ધર્મ તે સૈખ્યખાણું. ૫ અહ ધરમ પસાથે, વિક્રમે સત્ય સાથે, ઈહ ધરમ પસાથે, શાલિને શક વા ; જસ નર ગજ વાજી, મૃત્તિકાનાં જિ કેઈ,
રણસમય થયા તે, જીવ સાચા તિ કેઈ. ૬ દુર્ગતિથી પડતા પ્રાણીને બચાવી જે સદગતિ પમાડે તે ધર્મ કહેવાય છે. તે ધર્મ—દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારને તેમજ ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મરૂપ વ્યવહારથી બે પ્રકારને પણ કહ્યો છે. સાધુધર્મ સર્વથા અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતારૂપ–પાંચ મહાવ્રતરૂપ ( રાત્રિભેજનના સર્વથા ત્યાગ સહિત ) કહે છે, અને ગૃહસ્થધર્મ (શ્રાવક ધર્મ) સ્થલ અહિંસાદિક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત રૂપ બાર પ્રકારને કહ્યો છે.
અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન અને ઉચિતદાન–એવી રીતે દાન પાંચ પ્રકારનું છે. તેમાં અભયદાન અને સુપાત્રદાન શ્રેષ્ઠ ફળદાયી છે. દીન–અનાથને દુઃખી દેખી તેનું દુઃખ ઓછું કરવા જે કંઈ આપવું તે અનુકંપાદાન કહેવાય છે.