________________
જિન શાસનનાં
શ્રમણસંઘના સમર્થ સુકાનીઓ
૨૫૦૦ વર્ષનો જૈનશાસનનો ઇતિહાસ એમ કહે છે કે સિદ્ધાંત અને શાસન રક્ષા ખાતર શુદ્ધ પ્રરૂપક ગુણવાળા આ શ્રમણસંસ્થાના સંઘનાયકો અને જ્યોતિર્ધરોને પ્રસંગે પ્રસંગે અનેક તાણાવાણામાંથી પસાર થવું પડ્યું છે. કાળબળની સામે પડકાર ફેંકીને પણ શાસનની આન-શાન વધારી છે. સો ટચના સોના જેવો શાસનનો મૂલ્યવાન વારસો જાળવવામાં આ પ્રતિભાસંપન્ન સંઘનાયકોની રોમાંચક વાતો ઇતિહાસના પાને જોવા મળે છે. પૂર્વે થઈ ગયેલા જૈનાચાર્યોમાં ઘણા અજૈન હતા. અને વર્તમાનમાં પણ કેટલાક જૈનાચાર્યો જૈનેતર છે. નશ્વર વૈભવના આત્મઘાતક-રંગરાગને શાસ્ત્રવચનો દ્વારા ઓળખી સંસારી માયાને ફગાવી દઈ જિનધર્મનું અમૃતપાન કરાવનારા વિક્રમની વીસમી સદીના તીર્થોદ્ધારકો, આગમગ્રંથોના સંશોધકો, અહિંસા ધર્મના પ્રસારકો એવા કેટકેટલા પરમ વંદનીય આદરણીય સંતોને કારણે ભારતભરમાં જૈનધર્મનો વિજયનાદ હમેશા ગાજતો રહ્યો છે.
૩૦૨
શ્રી સુધર્માસ્વામીની ૭૧મી પાટે થયેલા સામ્પ્રતકાલીન શ્રમણસંઘના
મહાન સૂત્રધાર; પ્રથમ પીયૂષપયોનિધિ પરમ તપસ્વી પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા
ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુએ પચ્ચીસસો વર્ષ પૂર્વે ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરી. પ્રભુજી ૭૨ વર્ષનું આયુષ્ય પાળી, અઘાતી કર્મનો નાશ કરી નિર્વાણ પામ્યા. પ્રભુજીની પાટે શ્રી સુધર્માસ્વામીજી આવ્યા. ત્યાર બાદ ચરમ કેવલી શ્રી જંબૂસ્વામીજી આવ્યા. આ પાટપરંપરામાં જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી ૫૮મી પાટે થયા. ૬૯મી પાટે પં. શ્રી કીર્તિવિજયજી ગણિ થયા. તેમનો જન્મ ખંભાતમાં સં. ૧૮૧૬માં થયો હતો. તેમણે સં. ૧૮૬૧માં દીક્ષાગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. કસ્તૂરવિજયજી ગણિ થયા. તેમનો જન્મ સં. ૧૮૩૭માં પાલનપુરમાં થયો હતો. તેમણે સં. ૧૮૭૦માં પૂ. પં. કીર્તિવિજયજી મહારાજ પાસે દીક્ષાગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. શ્રી મણિવિજયજી દાદા શ્રી સુધર્માસ્વામીની ૭૧મી પાટે થયા.
ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં ભોયણીજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભોયણીજીની બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વીશા શ્રીમાળી જ્ઞાતિના જીવણદાસ શેઠ વસતા હતા. તેમના ધર્મપત્નીનું નામ ગુલાબદેવી હતું. સં. ૧૮૫૨ના ભાદરવા સુદમાં ગુલાબદેવીની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ
Jain Education International
પાડ્યું. શાળાનું સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના ધંધામાં જોડાયા અને ધંધાર્થે ખેડા જિલ્લાના પેટલી ગામમાં આવી વસ્યા. આ અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કીર્તિવિજયજી મહારાજનો માતર તીર્થે સમાગમ થયો અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૧૮૭૭માં પાલી મુકામે પૂ. પં. શ્રી કીર્તિવિજયજી મહારાજે તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા આપી શ્રી મણિવિજયજી નામે જાહેર કર્યા.
તેઓશ્રી મહાતમસ્વી અને ઉગ્ર વિહારી હતા. એનાથી પ્રભાવિત થઈને અનેક પુણ્યશાળી આત્માઓ તેમના શિષ્યો બન્યા. સં. ૧૯૧૨માં શ્રી બૂટેરાયજી, શ્રી મૂલચંદજી અને શ્રી વૃદ્ધિચંદજીને દીક્ષા આપી.
બાલ્યાવસ્થાથી જ સદ્ગુણી અને ધાર્મિક વૃત્તિવાળા માબાપના ઉત્સંગમાં ઊછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું! માતાપિતાએ એમના જીવનમાં એવી તો અક્ષય સુવાસ મૂકી કે જે તેમના જીવનપર્યંત અખૂટ રહી. આ વિનીત મુનિવરે પોતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધી નાનામોટાં સર્વની ગોચરી–પાણી વગેરે વૈયાવચ્ચમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદી મ્લાન કર્યું નહીં. સાનુકૂળપ્રતિકૂળ પ્રસંગોમાં, વિહારમાં, તપસ્યામાં, કદી પણ વચન કે વદન વિકારી થયાં નહીં. એમના વ્યક્તિત્વમાં મળતાવડાપણાનો મહાન ગુણ હતો. તેથી ગમે તે સમુદાયના મુનિવર્યો સાથે તેમને હૃદયનો સંબંધ બંધાતો. ૮૬ વર્ષની વૃદ્ધાવસ્થાએ પોતાનું શરીર અશક્ત જરૂરિયાતોની ઉપેક્ષા કરી.
સાવ
હોવા છતાં, પોતાની
For Private & Personal Use Only
www.jainelibrary.org