________________
ઝળહળતાં નક્ષત્રો
શ્રીવિજ્યકલાપૂર્ણસૂરિ સાધનામંદિર
atus) વિ.સં.૨૦૬૨ મહાવી રવિવાર તા. ૯ ૨૦૦૬
શ્રી વિજય કલાપૂર્ણસૂરિ સાધતા મંદિર ધતરાજતગર (શંખેશ્વર)
કામ લઈને પોતાના પૂરા પરિવારને-ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રોને સાથે લઈ ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો, એટલે આ રીતે, પોતાના આખા પરિવારને ભવસાગરને તરી જવાના દિવ્ય વહાણ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મનાં ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધો.
આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કેવો આવકારદાયક બન્યો! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત સાધુપુંગવ તેમ જ કચ્છ વાગડદેશોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનક-સૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજીનો દીક્ષામહોત્સવ એમના વતન ફલોદી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના દિને ઊજવાયો હતો. તેઓશ્રીનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમનો ભાગ્યયોગ ન હોય ! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજનાં પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભવિજયજી અને મુનિશ્રી કલ્પતરુવિજયજી રાખવામાં આવ્યાં. હાલ આ બંને ૫૭ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયવાન પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ તથા પૂ. પં. શ્રી કલ્પતરુવિજયજી મ. આ બંને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પોતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે.
Jain Education Intemational
૮૪૯
પૂજ્ય શ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ભૂખ્યાને ભાવતાં ભોજન મળી જાય એવો હતો. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ આત્મતત્ત્વના અહિતકાર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પોતાના સંયમી જીવનને ઉજ્વળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને શિષ્યોને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જૈનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયોગ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્નો કર્યા. જ્યારે તેઓશ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જતા, ત્યારે તો આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દૃશ્ય જોવા મળતું હતું. આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એવો કાબૂ મેળવ્યો હતો. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાલી બની છે એમ કહેવું જોઈએ.
આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદી ૧૩ ના રોજ લોદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના માગશર સુદિ ૩ના દિવસે કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત
જૈનસંઘનો વિશાળ મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયા! પોતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રી સંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં
આ મુનિવર ક્યારેય પાછા પડ્યા ન હતા, એટલે આચાર્ય બનીને સંઘનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તો એમની આ પ્રવૃત્તિમાં અનેકગણો વધારો થવા પામ્યો. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે રહીને તેઓશ્રીએ સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધારી. પૂજ્યશ્રીના શુભ હસ્તે ૩૦૦ જેટલા પુણ્યાત્માઓની દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીના નિકટવર્તી શ્રમણ સમુદાયમાં પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉપધાનો અને ઉજમણાં થયાં છે. તેમ જ છ'રી પાળતા નાના-મોટા સંખ્યાબંધ સંઘો નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, કર્ણાટક, આંધ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ,
For Private & Personal Use Only
www.jainelibrary.org