________________
૧૦૪૪
વંદનાનું સમર્પણ છે. શિલાલેખો અને પુરાતત્ત્વીય ચિહ્નોએ તીર્થંકર શ્રી પાર્શ્વપ્રભુના પોતાના વિહારમાર્ગમાં આ સ્થળે સાધના કરવાની પવિત્રતાને પુષ્ટ કરી છે. અહીં પ્રભુનાં પદચિહ્નોની સ્થાપના અને સં. ૯૧૯માં કલચૂરી વંશજોએ ખંડિત કરેલ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી જૈનાચાર્ય કક્કસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો પ્રમાણભૂત ઉલ્લેખ શિલાલેખોમાં મળે છે. સને ૧૯૭૯માં દુર્ગના જ સાહિત્યકાર, પત્રકાર શ્રી રાવલમલ જૈન ‘મણિ’એ દિવ્ય પ્રેરણાથી વશીભૂત થઈને આ પાવનભૂમિના તીર્થોદ્ધારનો ઇતિહાસ રચ્યો. જૈનોના પવિત્ર તીર્થોની શ્રૃંખલામાં ઉવસગ્ગહરં પાર્શ્વ તીર્થ−નગપુરાએ ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રતિદિન અહીં આવનારાં હજારો શ્રદ્ધાળુઓની અવર્ણનીય શ્રદ્ધાભક્તિ એનો જીવંત આધાર છે.
તીર્થોદ્ધારના દિવસથી આજ સુધી આ સ્થળની જાહોજલાલી સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઈ. કહેવાય છે કે જે જે સ્થાનો પર પવિત્ર ક્રિયાઓ થઈ હોય એ સ્થળ નિરંતર નિર્મળ શુદ્ધ રજકણોથી પરિપૂર્ણ હોય છે. આવાં સ્થાનોની નિર્મળતા એટલી પ્રભાવશાળી હોય છે કે ત્યાં આવનારાં પ્રત્યેક પ્રાણી પર અચુક અસર થાય છે. પ્રાણીમાત્રના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે. અશુદ્ધ વિચાર નાશ પામે છે. પ્રત્યેક જીવ પર સુંદર ચરિત્રની છાપ પડે છે. એ જ પવિત્ર ‘તીર્થ' વિશેષણથી ઓળખાય છે. તીર્થોદ્વાર સાથે પ્રતિદિન ત્રણ દિવસીય ઉપવાસ, ઉપધાન તપ સહિત વિવિધ તપસ્યાઓ, મહામંત્રના જાપ, પૂજા-અર્ચના વગેરેએ મંગલતા બનાવી રાખી છે.
વીસમી સદીના ઉપહાર-સ્વરૂપ પ્રાપ્ત તીર્થોદ્ધારિત ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરાના તીર્થોદ્વાર જીર્ણોદ્ધારનો જે સમગ્ર ઇતિહાસ સ્થાપિત થયો છે તે અત્યંત આહ્લાદક અને રોમાંચક છે. તીર્થોદ્ધારના મુખ્ય સૂત્રધાર શ્રી રાવલમલ જૈન ‘મણિ'ના સંઘર્ષશીલ પ્રયાસોમાં દરેક ગામ, દરેક શહેરનાં ઉત્સાહી શ્રદ્ધાળુઓ જોડાતાં ગયાં. રાયપુરના મનમોહનચંદ કાનુગાના નેતૃત્વમાં છત્તીસગઢનાં વિભિન્ન સ્થાનોમાં તીર્થભક્તોની સમિતિ બની. અનેક મહોત્સવોની સંરચનાથી સમગ્ર જનમાનસ તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધાર યોજના પૂર્ણ કરવા માટે સ્વસ્ફૂર્તિ બની, જે આજેય ભક્તિવંત છે. અનેક તીર્થભક્તોનું તન-મન-ધન સમર્પિત યોગદાન તીર્થોદ્ધારનો પાયો છે. હજારો શ્રદ્ધાળુઓનું મંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, તીર્થંકર ઉદ્યાન, તીર્થદર્શન–ઉદ્યાન, ભોજનશાળા, ધર્મશાળાઓના નિર્માણમાં યોગદાન અનુમોદનીય બન્યું છે. દેશભરનાં શ્રીસંઘો, મંદિરો,
Jain Education International
જિન શાસનનાં
ટ્રસ્ટો, સંસ્થાઓએ તીર્થોદ્વારની વિભિન્ન યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપ્યું. તીર્ણોદ્ધાર-જીર્ણોદ્વારની વિભિન્ન યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપ્યું. તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધારના શ્રમસાધ્ય દિવસોની એક–એક ક્ષણ ‘શાસન જયવંતું’ને ચરિતાર્થ કરતી રહી છે. સને ૧૯૯૫માં પૂજ્યપાદ લબ્ધિ વિક્રમ ગુરુકૃપાપાત્ર તીર્થોદ્વારજીર્ણોદ્ધારપ્રણેતા પૂ. શ્રીમદ્ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સંપન્ન ઐતિહાસિક પ્રતિષ્ઠા અગણિત શ્રદ્ધાળુઓનું જ પ્રતિબિંબ છે. પ્રતિષ્ઠા પછી અવિરત વીતરાગ–વંદનાની ભક્તિછાયામાં સર્વોદય વિકાસની સફળ યાત્રાનો યુગ ભવિષ્યની ઉજ્જવળતાનું જ પ્રતીક છે. છત્તીસગઢના મૂર્ધન્યમનીષી પંડિત દાનેશ્વર શર્માએ પોતાના પુસ્તક ‘લોકપ્રિય લોકદર્શન’માં જનમાનસના ભાવોને જ દર્શાવ્યા છે કે પાર્શ્વધાનનો તીર્થોદ્વાર માત્ર પાર્થિવ નહીં પરંતુ કાવ્યમય થયો એ વિશેષતા છે.” આમ કહીને પંડિત દાનેશ્વર શર્માએ તીર્થોદ્વારની સાર્થકતાને જ
સ્થાપિત કરી છે.
આમ ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરા પવિત્રતાનું પરબ છે, જે જૈન શ્રાવકો તેમ જ જૈનધર્મપ્રેમીઓના આત્માની તરસ છિપાવે છે અને સાથોસાથ ‘કર્મ એ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસમણિ'ના પર્યાય એવા રાવલમલ જૈન ‘મણિ’ની પાર્શ્વતીર્થ પ્રત્યેની ભક્તિભાવની સાથે એમના યશની પતાકા લહેરાવે છે.
ધર્માનુરાગી સમાજસેવક
શ્રી રવિલાલ લવજીભાઈ પારેખ
આજથી લગભગ ૧૦૮ વર્ષ પહેલાં શ્રી ગોરધનભાઈ પારેખ આપના દાદાજી ભારતની પશ્ચિમે અંજાર (કચ્છ) થી પ્રયાણ કરીને દક્ષિણમાં આવ્યા ત્યારે હાથમાં કાંઈ ન હતું, પણ હૈયામાં હામ અને હિંમત હતાં. આપના દાદાજીએ
અનાજના વ્યવસાયથી શરૂઆત કરી ધીમે ધીમે સ્થિર થતા ગયા. સન્ ૧૯૦૦માં શ્રી લવજીભાઈનો જન્મ થયો. તેમના લગ્ન માનકૂવા (અંજાર પાસે) જડાવબહેન સાથે થયા. શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org