Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 580
________________ ૧૧૯૬ છાવણીમાંથી લડતની વ્યૂહ ગોઠવણ, ટુકડીઓ તૈયાર થતી અને ઠેર ઠેર મહારાષ્ટ્રમાં જતી. શ્રી જમનાલાલ બજાજ એ છાવણીના પ્રથમ સરદાર, તેઓની ધરપકડ થઈ પછી શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કામનાં સૂત્રો સંભાળ્યાં. એમના પછી સ્વામી આનંદ, શ્રી દિલખુશભાઈ દીવાનજી, શ્રી ગોકુળભાઈ ભટ્ટ, શ્રી માર્કડભાઈ મહેતા એવા આવતા ગયા. શ્રીમતી જાનકીબહેન બજાજ, શ્રીમતી ગોમતીબહેન મશરૂવાળા વગેરે બહેનો પણ આ સત્યાગ્રહની છાવણીમાં જ રહેતી. શ્રી ચંદુભાઈ તથા મણિબહેન આ છાવણીમાં જોડાયાં. મણિબહેને ખાદી પહેરવાની શરૂ કરી. બહેનો છાવણીની અંતર્ગત વ્યવસ્થા ઉપરાંત પ્રભાતફેરીઓ સરઘસો, દારૂના પીઠા પર જઈ પિકેટિગ કરવું, ઇત્યાદિ કાર્યો પણ સરસ રીતે કરતી. બાપુ ગોળમેજી પરિષદ માટે લંડન ગયા તે સમયે પારલા મુકામ કર્યો ત્યારે મણિબહેનને બાપુ સાથે રહેવાની તક મળી અને બાપુનો વિશેષ પરિચય થયો. બધી બહેનોએ બાપુ પાસે કંઈક કાર્ય અંગેના માર્ગદર્શનની માંગણી કરી ત્યારે બાપુએ કહ્યું કે, “પારલામાં જ બહેનો દ્વારા સંચાલિત અને બહેનો દ્વારા જ ચાલે એવો ખાદી ભંડાર શરૂ કરો.” આ પછી ૧૯૩૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે જિન શાસનનાં પારલામાં ‘ખાદીમંદિર’ શરૂ થયું, જે આજે પણ બહેનો હસ્તક જ ચાલે છે. મણિબહેનને મન એ ‘ખાદીમંદિર'નું મહત્ત્વ વિશેષ છે. તેઓ કહે છે ખાદીમંદિર, મારી શાળા અને ખાદી મારું પાઠ્યપુસ્તક છે. પોતે નિયમિત કાંતનારાં અને પોતાના હાથે કાંતેલા સુતરની જ ખાદી પહેરનારાં છે. પોતાના કુટુંબીજનો પણ ખાદી જ પહેરે તેવો પણ આગ્રહ સેવે છે. ૧૯૩૧ના પારલાના ભગિની સેવા મંદિરમાં બાપુ ઊતર્યા ત્યારે એમની બધી વ્યવસ્થા મણિબહેન અને મધુરીબહેન અંજારીયાએ સંભાળી અને બાપુ સાથે જ પ્રત્યક્ષ પરિચય થયો. જો કે ગાંધીવાદી જીવનપ્રણાલીની દીક્ષા તો સ્વામી આનંદે જ છાવણીમાં આપી હતી ત્યાર પછી સ્વામીજીને જ્યારે આંખની પીડા થઈ ત્યારે મણિબહેને તેમને પોતાને ઘેર આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપ્યું ત્યારે મણિબહેને કોઈ હોદ્દા કે પદ માટે પડાપડી કરી નથી. સ્વામીજી બોલ્યા. “મારા જેવો બાવો તારે ત્યાં આવશે તો તું આવી પડેલા હોદ્દા કે માનનો પણ સંકોચ અનુભવ્યો છે. મૂંગાં આખીયે લૂંટાઈ જઈશ.” મણિબહેને નમ્રતાથી ઉત્તર આપ્યો, “ત્યારની વાત ત્યારે-પડશે તેવા દેવાશે.” અંગ્રેજોના સમયમાં મણિબહેને દાખવેલી આ હિંમત સ્વામીદાદાને સ્પર્શી ગઈ. તેમણે મણિબહેનને દીકરી ગણી. રાષ્ટ્રીયતાની લડત, બાપુની મૂંગાં સેવા કરવી તેને જ તેમણે પોતાનો ધર્મ માન્યો છે. શહેરમાં અનેક પ્રવૃત્તિઓ છતાં ગામડાંઓ અને આદિવાસીઓ તરફથી એમની સેવાનો ઝોક ઘણો છે. ડાંગ પ્રદેશમાં આદિવાસીઓ વચ્ચે એમણે ઘણાં વર્ષ કામ કર્યું. ત્યાં પણ કોંગ્રેસની અને કોંગ્રેસના નેતાઓની ઘણી વાતો કરી. બાપુની ખાદી, કેળવણી અને કલ્યાણ-કાર્ય કરવાની શરૂઆત કરી. જીવનદૃષ્ટિનું રહસ્ય પણ સમજાવતા. આજે જે મણિબહેન આપણી વચ્ચે છે એમના એ શાંત, કર્મઠ, પ્રસન્ન અને ઉદાર વ્યક્તિત્વના ઘડતર પાછળ સ્વામીદાદાની કેળવણી, તેમનો સ્નેહ અને માર્ગદર્શન છે. ધરમપુર, બારડોલી, ઉમરગામ, વાપી, કરાડી, મઢી અને વેડછી વગેરે સ્થળોએ જે આદિવાસીઓનાં છાત્રાલયો ચાલે છે તેમાં તેઓ ખૂબ રસ લે છે અને અવારનવાર ત્યાં દોડે છે. આની પાછળ એમની નિરંતર સેવાવૃત્તિ તથા તેમનું સમગ્ર જીવન જ સેવાના આદર્શને નિવેદિત છે તેની પ્રતીતિ થાય છે. Jain Education Intemational શ્રી ચંદુભાઈના અવસાન પછી તેમનું સ્મારક કોઈ ગામડામાં કરવાની મણિબહેનની ઇચ્છા હતી પણ કુટુંબીજનોનો આગ્રહ મુંબઈમાં જ રચવાનો હતો. આ વાત બાપુ પાસે પહોંચી. બાપુએ કુટુંબની ઇચ્છાને માન્ય રાખી. ત્યાર પછી ‘શ્રી ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર’ની સ્થાપના થઈ. આ શાળામાં બાપુના આદર્શોનું પાલન કરવા પ્રયત્ન થતો આવ્યો છે. ૧૯૪૫માં કસ્તુરબા નિધિના કામકાજમાં મણિબહેને સહકાર આપ્યો હતો. ૧૯૪૬માં મુંબઈમાં આવેલ અખિલ ભારત ચરખાસંઘના મંત્રીની જવાબદારી પૂ. બાપુજીના આશીર્વાદથી સંભાળી હતી. હાલના મુંબઈ ખાદી ગ્રામોદ્યોગ સંઘના મંત્રી અને ખજાનચીનું પદ પણ સંભાળ્યું. દલિત-પીડિતના ઉદ્ધાર માટેનાં કામો કરતાં એમની કરુણા વિકસી. જ્યાં દલિત-પીડિત હોય ત્યાં દોડી જવું અને તેમને સહાય કરવી એ એમના જીવનનું ધ્યેય હોય તેમ જે જે પ્રદેશમાં કુદરતી સંકટો આવ્યાં ત્યાં ત્યાં દોડી જઈને એમણે એ લોકોની સેવા કરી છે અને કરે છે. પૂ. રવિશંકર મહારાજના માર્ગદર્શન નીચે સુરત, મહુવા, ઉત્તર ગુજરાત, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620