________________
૧૨૨૬
આવે તે અવસરને વૈયાવચ્ચના અક્ષતથી વધાવનારા ઘણા ઓછા મળે છે. એવા મહાત્માઓમાં પૂ. મુનિશ્રી ચંદ્રભૂષણ વિ.મ.સા.નું નામ મોખરે હતું. સમુદાયમાં ક્યારેય કોઈ વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, બાલ સાધુની સેવાનો અવસર આવી પડે ને આ મુનિરાજ ત્યાં પહોંચ્યા ન હોય એવું ભાગ્યે જ જોવા મળે. ગ્લાન મહાત્મા હોય, પાર્કિન્સન જેવા ભયંકર વ્યાધિનો શિકાર બનેલા માનસિક અસ્વસ્થતાને કારણે અશુચિનો પ્યાલો તેમના ઉપર ઠલવાયો હોય તોપણ મુખની એક રેખા પણ ન ફરે. આવી ઘટના વખતે ગુરુદેવોથી દૂર રહેવાપૂર્વક ધીરતા, સ્થિરતા રાખવી અશક્ય છે. જો મસ્તક પર ગુર્વાજ્ઞા અને હૈયામાં ભક્તિની ભાવના હોય તો જ આ શક્ય બને છે. પોતાનામાં શક્તિ હોય છતાં આગળ આવવાની, વિદ્વતા બતાવવાની કોઈપણ જાતની અપેક્ષા વિના, પોતાની જાતને
વાત્સલ્યવારિધિ, જ્યોતિર્વિશારદ ગચ્છાધિપતિ પ.પૂ.આ. ગૌણ કરી વૈયાવચ્ચાદિ કરવાને લીધે જ તેઓ સમગ્ર સૂરિરામ અવકાશનું જ્ઞાન, શૂકનશાન, શુભમુહૂર્તો શોધવાદિ ઊંડું શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાને ગ્રહનક્ષત્રતારાદિ
સમુદાયમાં “મુનીશ્વર” (મુનિઓમાં સમર્થ) ના બિરુદથી પંકાયા
છે.
જ્યોતિષવિદ્યાનું જ્ઞાન હતું. તેઓશ્રીએ પણ મુનિરાજ ચંદ્રભૂષણ વિ.મ.સા.ને સાથે બેસાડી જ્યોતિષશાસ્ત્ર અંગે જ્ઞાન પ્રદાન કર્યું તેના દ્વારા પરમશ્રદ્ધેય સુવિશાલ પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સમુદાયના અનેક દીક્ષા, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, માળારોપણ, પ્રવેશ, લોંચ, ગ્રંથવાચનાદિ સંબંધિ શુભ મુહૂર્તો જોવાનું કાર્ય તેઓ જ કરતાં હતાં. શુભપળે શુભકાર્ય કરવાથી કાર્ય તુરંત સિદ્ધિને વરે છે. તેઓએ આપેલા મુહૂર્તો થકી ઘણા શુભકાર્યો સંપન્ન થયાં છે. આથી જ આજે સમુદાયમાં જ્યોતિર્વિશારદ તરીકે પ્રખ્યાત થયાં છે.
બાલ મુનિઓનું ઘડતર :–પોતાને પરંપરાગત જે સંયમ જીવનની તાલિમ મળી છે તેવી જ તાલિમ ગુરુદેવોના આદેશથી ગુરુદેવનાં નિશ્રાવર્તી બાલમુનિઓને આપી છે. સંયમજીવનનાં એકપણ યોગમાં એકપણ બાલમુનિ સિદાય નહીં તેની ખૂબ કાળજી લીધી છે. દોષોથી દૂર રાખી ગુણોના ગુલાબથી તેઓનું જીવન શણગાર્યું છે. સુવાસિત બનાવ્યું છે. ગૌચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, અભ્યાસ, માંદગી વિ. બધી બાબતોમાં વ્યવસ્થા પૂરી પાડી છે. વિહારમાં બાળમુનિઓ ક્યારેક થાકી જાય તો તેઓની ઉપધિ આદિ સ્વયં ઉપાડી લેતાં. પિતા બનીને દંડ પણ કર્યો છે ને. માતા બની વાત્સલ્ય પણ આપ્યું છે. આજે તે બાલમુનિઓમાંથી છેક આચાર્યપદ સુધી પહોંચનારા મહાત્માઓના મૂળમાં મુનિશ્વરનું ઘડતર છે. સમયના ભોગ અને આગવી સૂઝનાં યોગ કરવાપૂર્વક તેઓનું ઘડતર કર્યું છે.
કર્મશાસ્ત્ર વિશારદ : જિનશાસનમાં વિશેષ ભાગ ભજવતું “કર્મશાસ્ત્ર' છે પૂ. ગુરુદેવની વાચનાઓ દ્વારા તથા પોતાના આગવા ક્ષયોપશમથી કર્મશાસ્ત્રના કઠીન પદાર્થોને ખરેખર સુદૃઢ બનાવ્યાં હતાં. મહત્ત્વની વાત તો એ છે કે ઊંડું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં બહાર ક્યાંય પ્રગટ થવા દીધું નથી. ક્યારેય બતાવી દેવાની વૃત્તિ પેદા થઈ નથી. એજ બતાવે છે કે કર્મપ્રકૃતિને ઓળખીને જ પોતાની પરિણતી ઘડી હશે.
એક વખતે એક શ્રાવક કીર્તિભાઈ, સૂરિરામના મુખેથી પરમાત્માના ચૈત્યવંદન સાંભળવા માત્રથી બોધ પામેલ તેઓ પણ કર્મસાહિત્યના અભ્યાસુ હતાં સાથે જિજ્ઞાસુ પણ હતાં. તેમણે કર્મસાહિત્ય વિષયક કોઈ લખાણ કર્યું હતું. તે ભાગ્યશાળી ઘણા તે ધૂરંધર આચાર્યભગવંતો પાસે જઈ પોતાની શંકાઓનું સમાધાન
જિન શાસનનાં
મેળવવા પ્રયત્ન કરતાં હતાં. પૂ. પરમતારકશ્રી પાસે આવ્યાં. તેઓ વિવિધકાર્યોમાં વ્યસ્ત હોવાથી લખાણ વગેરે તપાસવા માટે મુનિશ્વર ચંદ્રભૂષણવિ.મ.ને સોંપવામાં આવ્યું. થોડા જ દિવસોમાં તે લખાણનું પ્રથમ પ્રકરણ તપાસી, પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી સંતોષ આપ્યો. પૂ.આ.શ્રી નરવાહનસૂરીશ્વરજી મ.સા. દ્વારા કર્મસાહિત્ય પ્રકાશિત થયું છે તેમાં પ્રૂફ ચકાસવું, સંશોધનાદિ, સુધારાદિ કરવાનું કાર્ય પણ કર્યું છે તે ઉલ્લેખનીય છે.
Jain Education Intemational
જ્યોતિવિશારદ : શુભકાર્યની નિષ્પત્તિ માટે શુભ મુહૂર્ત આવશ્યક છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રમાં જણાવે છે કે “જે મુહૂર્તે ન માને તે મિથ્યાત્વી છે.’’તેથી શુભકાર્ય માટે શુભકાળ જોવામાં આવે છે.
વિશેષ પરિચય .
ગણિપદ : વિ.સં. ૨૦૫૮, પોષ વદ-૧, પાલિતાણા પંન્યાસ પદ : વિ.સં. ૨૦૬૧, કાર્તિક વદ-૫, શ્રીપાળનગર આચાર્યપદ : વિ.સં. ૨૦૬૭ પોષ વદ-૧, ખંભાત શિષ્યગણ : પૂ. મુનિશ્રી ચરણભૂષણ વિ.મ.સા., પૂ. મુનિશ્રી ચારિત્રદર્શન વિ.મ.સા. પરિવારમાંથી દીક્ષિત :
સા. શ્રી ભવ્યયશાશ્રીજી મ.સા. (બહેન મ.સા.)
સા.શ્રી અનંતયશાશ્રીજી મ.સા. (મામાની દીકરી બહેન મ.) સા.શ્રી અક્ષયયશાશ્રીજી મ.સા. (મામાની દીકરી બહેન મ.) સા.શ્રી હિતયશાશ્રીજી મ. (મામાની દીકરી, બહેન મ.) સા. શ્રી હિતકાંક્ષા મ. (ભત્રીજી)
મુનિશ્રી ડ્રીંકારસુંદર વિ.મ.સા. (ફોઈના દીકરા-ભાઈ)
સૌજન્ય : બંસીલાલ શાંતિલાલ દલાલ હસ્તે કમલભાઈ ખંભાતવાળા
For Private & Personal Use Only
www.jainelibrary.org