________________
ઝળહળતાં નક્ષત્રો
સાહિત્ય પ્રેરક : જર્મનીના ક્લાઉજ બ્રુન દ્વારા પ્રશંસા પ્રાપ્ત ખવગસેઢી ગ્રંથ, ઉપશમનાકરણ, પયડીબંધો, દ્વિવર્ણસ્તુતિરશ્મયઃ, આદિ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ, ચાલો સિદ્ધગિરિ જઈએ, સચિત્ર જૈન રામાયણ, સચિત્ર જોજે કરમાયના (ભવ આલોચના)
સમૂહ રાત્રિભોજન ત્યાગ પ્રેરક :-સુરતમાં ૧૨૮ સમાજો અને અમદાવાદના ૧૭૦ સંઘ સમાજોના લાખો જૈનોને સમૂહ રાત્રિભોજન ત્યાગ કરાવી વિશ્વવ્યાપી અભિયાન શરૂ કર્યું.
સૌજન્ય : પ્રવચનપ્રભાવક આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા.ની પ્રેરણાથી તેમના સાંસારિક પિતાશ્રી સંઘવી પુખરાજ છોગાજી પરિવાર, વિશાખાપટ્ટનમવાલા તરફથી
કથા–કલમના કુશળ કસબી અને સર્જન-સંપાદનના કલાસ્વામી
પૂ. આ.શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.
પૂજ્ય આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ શ્રવણગોચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ સાહિત્યસર્જક ખડા થઈ જાય છે, જેઓ શબ્દના શિલ્પી, કલમના કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજ્યશ્રી આકાર-આકૃતિથી ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષરઆલેખનથી તો ઠેર ઠેર સુપ્રસિદ્ધ છે. જૈનજગતના જાણીતા માસિક ‘કલ્યાણ’–ના માધ્યમે પૂજ્યશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે, તો વળી પૂજ્યશ્રીની લેખ-પ્રસાદીના કારણે ‘કલ્યાણ’ માસિક પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. ‘કલ્યાણ’માં નિયમિત અનેક કોલમો લખવા ઉપરાંત, લેખોનું સંપાદન પણ પૂજ્યશ્રી કરતા રહ્યા છે. તેઓશ્રીની લેખનકળા અને સંપાદનસૂઝ એવી આગવી છે કે, જેના સ્પર્શે પ્રાચીન કથાનકો જીવંત બની જાય છે અને પ્રાચીન સાહિત્ય પણ નવા શણગાર પામે છે. પૂજ્યશ્રી મિતભાષી છે, પણ ‘કલ્યાણ' અને કલમના માધ્યમે અનેકોની સાથે કલાકોના કલાકો મૌન વાર્તાલાપ કરતા હોય એમ લાગે. તેઓશ્રીનું સાહિત્ય સર્વતોમુખી છે. ચિંતન, કથાલેખન, સંપાદન, સંકલન : આ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં એમનાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત આવાં નાનાં-મોટાં પુસ્તકોની સંખ્યા ૧૦૦ આસપાસની થાય છે. જો કે એ બધાં જ પ્રકાશનો ભારે માંગને કારણે આજે અપ્રાપ્ય છે. આથી પૂજ્યશ્રીના સાહિત્યના વ્યવસ્થિત પ્રકાશન માટેની અનેકાનેક માગણી–
Jain Education International
૭૬૯
લાગણીને માન આપીને સં. ૨૦૪૬-ના મૌન એકાદશીને શુભ દિવસે ‘સંસ્કૃતિ પ્રકાશન-સુરત' સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સવા—દોઢ વર્ષના ટૂંકા સમયમાં આ સંસ્થા દ્વારા ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ સાહિત્યને સંઘ-સમાજે એવી અંતરની લાગણીથી વધાવી લીધું છે કે આજે પૂર્વે પ્રકાશિત પાંચ પુસ્તકો અપ્રાપ્ય બની ચૂક્યાં છે. આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગમિક કથાઓ, જૈનસાહિત્યની શ્રેણીબદ્ધ કથાઓ, સંસ્કૃતિપોષક અનેકાનેક વાર્તાઓ, ચિંતન-મનનથી ભરપૂર સાહિત્યની ભેટ જૈનસંઘને મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.
સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩–ના દિવસે હસ્તગરિમાં ગણિ પદે અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના મુંબઈ– શ્રીપાલનગરમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬-ના શુભ દિવસે સુરતમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા.
સં. ૨૦૦૧ની ધનતેરશના દિવસે નાસિક-મહારાષ્ટ્રમાં જન્મ પામીને ‘પ્રકાશ’ નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ બાબુભાઈ, માતાનું નામ શાંતાબહેન અને ભાઈનું નામ મહેન્દ્ર હતું. બાબુભાઈનું મૂળ વતન તારંગાની તળેટીમાં વસેલું કોઠાસણા ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ–ઘોટીમાં થોડો સમય રહીને નાસિકમાં સ્થિર થયા, એટલું જ નહીં, એક આગેવાન તરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામોમાં પ્રસિદ્ધ થયા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ (પછીથી આચાર્ય)ના પરિચયે તેઓશ્રી સંયમમાર્ગે વળવાની ભાવના ધરાવતા થયા. પ્રકાશ-મહેન્દ્ર એ વખતે નાના હતા, છતાં પિતાજી સાથે સાથે પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ આરાધનાઓ કરતા અને દીક્ષાના વિષયમાં કંઈ પૂછવામાં આવે ત્યારે “પૂ. પિતાજી જે કરે તે અમે કરવાના” એવો જવાબ આપતા. બાબુભાઈ દીક્ષા લે એમાં નાસિકના આગેવાનો સંમત હતા, પણ નાનાં બાળકોની બાબતમાં સંમતિ ન હોવાથી સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭–ને દિવસે મુરબાડ પાસેના ઘસઈ ગામે બાબુભાઈએ નજીકનાં સગાંઓની હાજરીમાં ગુપ્ત રીતે સંયમનો સ્વીકાર કર્યો. પોતાનું નામ શ્રી જયકુંજરવિજયજી અને એમના શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને શ્રી મુક્તિપ્રભવિજયજી નામે જાહેર કરાયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org