________________
૮૩૮
એકવાર સ્વ. ગુરુદેવશ્રીએ પિંડવાડામાં એમને લખવા માટે નવી–સારી પેન આપી. સાથે કહ્યું : “આ પેન માત્ર તારે વાપરવાની.” એ વખતે પૂર્ણનમ્રતા સાથે પૂજ્યશ્રીએ કહ્યું : “ગુરુદેવ! એવી રીતે આ પેન હું નહીં રાખી શકું. કોઈ માંગશે, કોઈને ગમશે તો હું આપી દઈશ.” આચાર્યભગવંતે સહર્ષ અનુમતિ આપી.
૨. આગમજ્ઞાતા : વર્તમાનકાળના તમામ આગમોના પૂજ્યશ્રી વિશિષ્ટજ્ઞાતા છે. વિશિષ્ટ એટલા માટે કે આગમોના માત્ર શબ્દાર્થ કે વાક્યાર્થ ન કરતાં છેક ઐદંપર્યાર્થ સુધી તેઓશ્રી પહોંચતા હોય છે. આનો અનુભવ પૂજ્યશ્રીની પાસે આગમગ્રંથોની વાચના લેનારા મહાત્માઓને ઘણીવાર થયો છે.
જિંદગીમાં ક્યારેય છાપું નહીં વાંચનારા આ મહાપુરુષ સાધુઓને દિવસમાં છ-છ કલાક સુધી આગમગ્રંથો– પ્રકરણગ્રંથો અને કર્મસાહિત્યમાં પાઠો આપતા હોય છે. સમુદાયનો ભેદભાવ રાખ્યા વગર શ્રુતજ્ઞાનની આ ગંગાને તેઓ નિરંતર વહાવી રહ્યા છે. સંઘ અને સમુદાયની અનેકવિધ જવાબદારીઓથી ઘેરાયેલા હોવા છતાં નિરંતર સ્તોત્રપાઠ અને સમય મળે તો દિવસે, ન મળે તો રાત્રે જાગીને પણ ‘દશવૈકાલિક’, ‘આચારાંગ-સૂત્ર' આદિના પાઠ તેઓશ્રી કરતા હોય છે.
દીક્ષાના પ્રારંભકાળમાં ક્ષયોપશમ મંદ હોવા છતાં ગુરુકૃપાથી છેક શતાવધાન સુધી પહોંચી શક્યા, એટલું જ નહીં પ્રાકૃતવ્યાકરણ શીખ્યા વગર પ્રાકૃતભાષામાં અસ્ખલિતપણે સાધુ ભગવંતોને પોણોકલાક સુધી વાચના આપી શક્યા. વધારે શું લખીએ? શાસ્ત્રીય બાબતોમાં ગૂંચ પડે ત્યારે ‘મુત્રિ જયઘોષવિજયજીની પણ સલાહ લેવી' આવું વાક્ય પોતાના પટ્ટકમાં લખીને સ્વ. પરમગુરુદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે એમની આગમજ્ઞતા-ગીતાર્થતા ઉપર મહોર મારી દીધી હતી.
૩. સંઘએકતા : સ્વ. બંને ગુરુભગવંતોના હૃદયમાં રમતી સંઘ એકતાના પૂજ્યશ્રી પ્રખર હિમાયતી છે. એમના હૃદયમાં સંઘ અને શાસન પ્રત્યે ભારોભાર આદરભાવ અને બહુમાનભાવ છે. વર્તમાનસંઘની દુર્દશા અને કફોડી સ્થિતિથી તેઓશ્રી અત્યંત વ્યથિત છે, અત્યંત ચિંતિત છે. એમની વાચના અને પ્રવચનો દરમિયાન આ વેદના પ્રગટ થયા વગર રહેતી નથી. પ્રાયઃ કરીને એમનું એકપણ પ્રવચન એવું નહીં હોય કે જેમાં સંઘ અને શાસનની એકતા, સમાધિ અને આદરભાવની વાત ન આવતી હોય. ચૌદ પૂર્વધરશ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી પણ સંઘની
Jain Education International
જિન શાસનનાં
આજ્ઞા સામે જો ઝૂકી જતા હોય તો આપણે કોણ?
(૪) પ્રાયશ્ચિત્તદાતા : આજ સુધીમાં હજારો આત્માઓએ પૂજ્યશ્રી પાસે પોતાનાં કાળાંમાં કાળાં પાપોની આલોચના બિલકુલ સહજભાવે કરી છે. એની પાછળ મુખ્ય ત્રણ કારણ છે.
(૧) પહેલું કારણ છે પૂજ્યશ્રીની ગંભીરતા. પૂજ્યશ્રી ગંભીરતાના મહાસાગર છે. આ મહાપુરુષની ગંભીરતા આગળ સો સો મહાસાગરો પણ ઝાંખા પડે તેમ છે. ગમે તેવી ગંભીર આલોચના પૂજ્યશ્રીની પાસે અત્યંત સરળતાથી થઈ શકે છે, કારણ કે કોઈ વાંચી જશે, કોઈ સાંભળી જશે આવો ભય કોઈને હોતો નથી, વળી આ વિષયમાં પૂજ્યશ્રી અત્યંત કાળજી ધરાવનારા છે. અનેક જવાબદારીઓ વચ્ચે બેઠા હોવા છતાં પણ સાધુઓની આલોચના સાંભળવાનું, પ્રાયશ્ચિત્ત આપવાનું તેમ જ તે અંગેના પત્રવ્યવહારનું કામ પૂજ્યશ્રી સ્વયમેવ કરતા હોય છે.
(૨) વર્તમાન કાળમાં પૂજ્યશ્રી છેદગ્રંથના વિશિષ્ટ જ્ઞાતા છે. આથી જ સામા જીવોની ભાવના, શક્તિ વગેરે જોઈને એને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે, એટલું જ નહીં, જે પાપ જીવનમાં સહજ બની ગયાં હોય તેમાંથી કાયમ માટે કઈ રીતે છુટાય તેની ચાવીઓ પણ બતાવતા હોય છે.
(૩) સામી વ્યક્તિની નેગેટિવસાઇડ જાણ્યા પછી પણ એના પ્રત્યે પોતાના હૃદયમાં એકસરખો પ્રેમભાવ, વાત્સલ્યભાવ ધારણ કવો એ જેવીતેવી બાબત નથી. પૂજ્યશ્રી આ કળામાં પારંગત છે અને એટલા માટે જ પૂજ્યશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લેતાં કોઈને હિચકિચાટ નથી થતો.
૫. બ્રહ્મનિષ્ઠતા : પૂજ્યશ્રી પાંચે મહાવ્રતોના પાલનમાં સૂક્ષ્મ કાળજી ધરાવે છે. એમાં પણ બ્રહ્મચર્યવ્રતના પાલનમાં અત્યંત નિષ્ઠાવાન છે. વિજાતીય સ્ત્રી કે સાધ્વીની સાથે ક્યારેય દૃષ્ટિ મિલાવીને વાત કરતાં તેઓશ્રીને જોયા નથી. બને ત્યાં સુધી તો વાત કરવાનું જ ટાળે. અત્યાવશ્યક કાર્યાર્થે વાત કરવી જ પડે તો મોં અન્ય દિશા તરફ વાળીને જ વાત કરવાનો આગ્રહ રાખતા હોય છે.
ફોટાઓના આલબમ, વર્તમાનપત્રો અને તેની પૂર્તિઓને ક્યારેય હાથમાં લેતા નથી. આ બધાં સાધનો આપણા વ્રત માટે જોખમી છે, એવું તેઓશ્રીનું દૃઢપણે માનવું છે.
આજના વિષમકાળમાં આવા ભીષ્મવ્રતનું અણીશુદ્ધપણે પાલન કરનારા એ ગુરુદેવનાં ચરણોમાં કોટિકોટિ વંદના.
For Private & Personal Use Only
www.jainelibrary.org