________________
૩૭૭૨
તે માત્ર પૂજ્યશ્રીની કુનેહબુદ્ધિ અને નિર્ણાયક કાર્યશક્તિથી માત્ર ચારવર્ષમાં થવા પામ્યા હતા.જે દ્વારા પૂર્વભારતની કલ્યાણકભૂમિઓમાં નવા ઇતિહાસનું સર્જન થવા પામ્યું હતું. જે જિર્ણોદ્ધારોમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો સદ્યય થયો હશે. પૂર્વભારતની કલ્યાણક ભૂમિઓના જિર્ણોદ્ધારના માર્ગદર્શક તથા પ્રેરક પૂજ્યશ્રીને પણ પૂર્વભારતના છત્રીસ સંઘોએ સાથે મળી પાવાપુરી સમવસરણ તીર્થ ચાતુર્માસ દરમ્યાન વિ.સં. ૨૦૬૪ શ્રાવણ વદ-૮ રવિવારના રોજ સુવર્ણાક્ષરી પ્રશસ્તિ દ્વારા પૂર્વભારત કલ્યાણકભૂમિ તીર્થોદ્વારક તરીકેની મહાન પદવી એનાયત કરેલ. પાંચ વર્ષમાં પાંચ પાંચ કલ્યાણક તીર્થોના જિર્ણોદ્ધારનો સુવર્ણાક્ષરી ઇતિહાસ સર્જનાર સૂરિદેવને શતશઃ વંદના.
સૌજન્ય : શ્રીમતી નિર્મલાબેન સરદારમલજી જૈન, મુલુંડ-મુંબઈ
શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા પૂ. આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સાધુજીવનની સમાચારીના
પાલનમાં સદાય સજાગ અને સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્યદેવશ્રી યશોવિજયજી મહારાજનું ત્યાગી જીવન અનેક ગુણોથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવર્ય ખરે જ વાત્સલ્ય અને
પ્રસન્નતાની મૂર્તિ છે! મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના જ્ઞાનસારસૂત્રની “સમશીલં મનો યસ્ય સ મધ્યસ્થો મહામુનિઃ” પંક્તિની જીવંત કૃતિ અને “ચિત્ત પ્રસન્ને રે પૂજનફળ કહ્યું” એ પંક્તિમાં આનંદઘનજી મહારાજાએ વીંધેલી-ચીંધેલી ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિત્વ એટલે પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ.
તેઓશ્રીનો જન્મ સં. ૨૦૦૨ના મહા વદ ૧૩ને શુક્રવાર, તા. ૧-૩-૧૯૪૬માં ઝીંઝુવાડામાં એક સંસ્કારી અને ધર્મનિષ્ઠ પરિવારમાં થયો હતો. બાળપણથી પૂર્ણિમાના ચંદ્ર જેવું પ્રસન્ન મુખકમળ અનેક જીવોના આકર્ષણનું કેન્દ્ર હતું. પિતા જયંતીલાલે અને માતા કંચનબહેને બાળકનો ઉછેર પણ પૂરતા
Jain Education International
જિન શાસનનાં
વાત્સલ્ય-ભાવથી કર્યો. સમય જતાં તેઓ શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા બન્યા. પૂજ્યશ્રીનું સંસારી નામ જશવંતભાઈ. બાળપણથી જ જશવંતભાઈનાં ધર્મપ્રીતિ, તપ-જપની આરાધના અને જ્ઞાન-ધ્યાનમાં રસ વધતા જ રહ્યા. એવામાં ગુરુદેવશ્રી આચાર્યભગવંત શ્રી ૐકારસૂરિજી મહારાજની કૃપાદૃષ્ટિએ જશવંતભાઈની ધર્મજ્યોત પ્રજ્વલિત કરી અને સં. ૨૦૧૩ના મહા સુદ ૧૦–ના દિવસે ઝીંઝુવાડામાં દીક્ષા લઈ પૂ. આ. શ્રી કારસૂરિજી મહારાજના વિનેય શિષ્ય મુનિ યશોવિજયજી નામે જાહેર થયા. આગળ જતાં, પૂ. આ. શ્રી ૐકારસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૨માં જૂના ડીસા મુકામે પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને દિવસે બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પૂ. આ.શ્રી હિમાંશુ-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા.
પ્રખર પ્રતિભાના ધારક, શાસનપ્રભાવક અને સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા આ મહાપુરુષ સાચે જ અનેકવિધ શાસનકાર્યોથી સંયમજીવનની સુવાસ પ્રસરાવી રહ્યા છે. પૂજ્યશ્રીનો અલ્પ પરિચય પણ આપણને પ્રસન્ન વદન, સમતાપૂર્ણ હૃદય અને નેહ નીતરતાં નયનોની ત્રિવેણીમાં સ્નાન કરતાં હોઈએ એવો અનુભવ કરાવી જાય છે. આ. ભ. ૐકારસૂરિ મ.સા.ની ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સતત વહી રહેલી ગુરુકૃપાના પૂજ્યશ્રી અનુપમ વાહક છે. ભક્તિયોગ એમનો પ્રિયમાં પ્રિય યોગ છે. પ્રભુ પ્રત્યે પાંગરતી પૂજ્યશ્રીની ભક્તિધારામાં આપણે સહજપણે પરિપ્લાવિત થઈ ઊઠીએ છીએ. વિહારયાત્રામાં પણ સતત ચિંતન-મનન-સંકલન-લેખન આદિ ચાલતાં જ હોય. યાત્રામાં વિહરતાં તેઓશ્રીનું દર્શન નયનરમ્ય હોય છે.
આ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.નાં વાચનાનાં કેટલાંક પુસ્તકોનાં નામ : —
‘દિરસણ નરિસએ’, ‘ૠષભ જિનેશ્વર પ્રીતમમાહરો', ‘અસ્તિત્વનું પરોઢ’, ‘અનુભૂતિનું આકાશ’, ‘સોહિભાવ નિગ્રંથ', ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે’, ‘પ્રભુનો પ્યારો સ્પર્શ, આપ હિ આપ બુઝાય’, ‘આત્માનુભૂતિ’, ‘રોમ રોમ પરમ સ્પર્શ', ‘મેરે અવગુણ ચિત ન ધરો'.
પૂજ્યશ્રીનાં પાવન પગલે તેઓશ્રીના પિતાશ્રી મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ સુંદર સંયમસાધના કરી રહ્યા છે. તથા લઘુબંધુ વિદ્વર્ય આ. વિજય શ્રી મુનિચંદ્રસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org